છતીસગઢમાં કોને મળશે રાજ સિંહાસન, જાણો બધી એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાઓ શું કહી રહ્યા છે

|

Dec 01, 2023 | 10:22 AM

બધા જાણે છે કે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવવાનું છે. તે પહેલા કેટલીક એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ રજૂ કર્યા છે. એટલે કે ભવિષ્યવાણીઓ કરી છે કે જે તે રાજ્યમાં જે તે સરકાર આવી શકે છે. તો ફોટો મુજબ જાણો કે છતીસગઢમાં કઈ સરકાર આગળ છે.

1 / 6
'પોલ્સ્ટાર્ટ'ના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસ 40થી 50 સીટો પોતાના નામે કરી શકે છે તેમજ ભાજપની સીટો 35થી 45 વચ્ચે રહી શકે છે.

'પોલ્સ્ટાર્ટ'ના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસ 40થી 50 સીટો પોતાના નામે કરી શકે છે તેમજ ભાજપની સીટો 35થી 45 વચ્ચે રહી શકે છે.

2 / 6
'ટુડેઝ ચાણક્ય'ના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ છત્તીસગઢમાં ફરી એકવાર બહુમત સાથે સરકાર બનાવી શકે છે. આ એક્ઝિટ પોલના આંકડા મુજબ કોંગ્રેસને 57 સીટો મળી શકે છે તેમજ ભાજપને 33 સીટો મળી શકે છે.

'ટુડેઝ ચાણક્ય'ના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ છત્તીસગઢમાં ફરી એકવાર બહુમત સાથે સરકાર બનાવી શકે છે. આ એક્ઝિટ પોલના આંકડા મુજબ કોંગ્રેસને 57 સીટો મળી શકે છે તેમજ ભાજપને 33 સીટો મળી શકે છે.

3 / 6
'સી વોટર'ના એક્ઝિટ પોલ કહે છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસને 41થી 53 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 36થી 48 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષના ભાગે 4 સીટો આવે તેવી શક્યતાઓ છે.

'સી વોટર'ના એક્ઝિટ પોલ કહે છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસને 41થી 53 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 36થી 48 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષના ભાગે 4 સીટો આવે તેવી શક્યતાઓ છે.

4 / 6
'એક્સિસ માય ઈન્ડિયા'ના એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 42 ટકા વોટ સાથે 40થી 50 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 41 ટકા વોટ સાથે 36થી 46 સીટ મળી શકે છે.

'એક્સિસ માય ઈન્ડિયા'ના એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 42 ટકા વોટ સાથે 40થી 50 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 41 ટકા વોટ સાથે 36થી 46 સીટ મળી શકે છે.

5 / 6
'મેટ્રીઝ'ના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 44થી 52 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 34થી 42 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

'મેટ્રીઝ'ના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 44થી 52 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 34થી 42 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

6 / 6
'ઈટીજી'એ આપેલા રિપોર્ટ મુજબ 48 થી 56 સીટો કોંગ્રેસના પક્ષે જઈ શકે છે તેમજ ભાજપના પક્ષમાં 32 થી 40 સીટો રહી શકે છે.

'ઈટીજી'એ આપેલા રિપોર્ટ મુજબ 48 થી 56 સીટો કોંગ્રેસના પક્ષે જઈ શકે છે તેમજ ભાજપના પક્ષમાં 32 થી 40 સીટો રહી શકે છે.

Next Photo Gallery