1 / 5
ભક્તિ, આસ્થા અને આરાધનાનું સ્થળ એવો સાબરમતી નદી કિનારે વાડજ પાસે આવેલ દધીચી ઋષિ આશ્રમ. અહીં છે ભક્તોના દરેક કષ્ટ દુર કરતાં દુધાધારી મહાદેવ અને ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ.અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ સંકુલની બાજુમાં આવેલ અઘોરી બાબાની સમાધી એ લોકો દૂર દેશાંતરથી આવે છે. ભક્તો બાબાની સમાધી એ સિગરેટ ચડાવી, શીશ ઝુકાવીને પોતાના કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરે છે.