આને કહેવાય સાચી મિત્રતા ! અકસ્માતમાં મિત્રનું મોત થયું, તો બનાવી મૂર્તિ, હવે રોજ કરે છે પૂજા

|

Aug 06, 2023 | 8:49 PM

જેતપુરના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી.

1 / 5
મિત્રતાની વ્યાખ્યા સૌથી અલગ છે.મિત્રતા એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનો સંબંધ.મિત્રો તો હજારો બની શકે છે.પરંતુ મુશ્કેલ અને ખરા સમયમાં કામ આવે તે જ સાચા મિત્ર છે.મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે જાતે જ જોડીએ છીએ.મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક.મિત્રતાની વાત કરીએ એટલી થોડી.

મિત્રતાની વ્યાખ્યા સૌથી અલગ છે.મિત્રતા એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનો સંબંધ.મિત્રો તો હજારો બની શકે છે.પરંતુ મુશ્કેલ અને ખરા સમયમાં કામ આવે તે જ સાચા મિત્ર છે.મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે જાતે જ જોડીએ છીએ.મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક.મિત્રતાની વાત કરીએ એટલી થોડી.

2 / 5
જેતપુર ના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ.મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી અને તે તે મૂર્તિને દરરોજ હાર અને ફુલ ચડાવે પછી તે પોતાના દિવસની શરૂઆત કરે.આજે આ બંનેની મિત્રતાનું ઉદાહરણ સૌ કોઈ આપે છે.

જેતપુર ના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ.મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી અને તે તે મૂર્તિને દરરોજ હાર અને ફુલ ચડાવે પછી તે પોતાના દિવસની શરૂઆત કરે.આજે આ બંનેની મિત્રતાનું ઉદાહરણ સૌ કોઈ આપે છે.

3 / 5
મિત્રની મૂર્તિ બનાવનાર ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે આ મૂર્તિ મારા મિત્ર હકુભાઈ છે.અમારી મિત્રતા ભાવનગરમાં થઈ હતી.ભાવનગરમાં શનિ ગ્રુપ છે.જેમાં અમે બધા સાથે હતા.એવામાં એક વખત મારા મિત્ર હકુભાઈ બગાદાણા જતા હતા ત્યારે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.મિત્રના મોત બાદ આખા ગ્રુપ પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ હતી.

મિત્રની મૂર્તિ બનાવનાર ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે આ મૂર્તિ મારા મિત્ર હકુભાઈ છે.અમારી મિત્રતા ભાવનગરમાં થઈ હતી.ભાવનગરમાં શનિ ગ્રુપ છે.જેમાં અમે બધા સાથે હતા.એવામાં એક વખત મારા મિત્ર હકુભાઈ બગાદાણા જતા હતા ત્યારે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.મિત્રના મોત બાદ આખા ગ્રુપ પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ હતી.

4 / 5
2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

5 / 5
જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.

જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.

Next Photo Gallery