
2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.