
જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.

21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે. આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે.

રાજ્ય પોલીસ વડા(DGP) દ્વારા બઢતી કરવાનો નિર્ણય લેવામાં આવતા બઢતી મળનાર અધિકારીઓ ખુશ છે.