વિશ્વ વિરાસત પાટણની રાણકીવાવ સંકુલમાં 18.83 કરોડના ખર્ચે નવું આકર્ષણ તૈયાર કરાશે

પાટણની રાણકીવાવને લઈ સારા સમાચાર આવી રહ્યા છે. રાણકીવાવની મુલાકાત લેવા માટે જનારાઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યુ છે. જ્યાં રાણકીવાવ સંકુલમાં જ થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટને સ્થાપવામાં આવનાર છે. આ માટેના ટેન્ડરની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકીવાવના કલાત્મક સ્થાપત્ય વારસાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસે દહાડે અહીં આવે છે.

| Updated on: Jan 13, 2024 | 2:57 PM
1 / 6
પાટણની રાણકીવાવમાં હવે પ્રવાસીઓને નવુ આકર્ષણ જોવા મળશે. વિશ્વ વિરાસત સ્થળ પર હવે નવું આયોજન કરવામાં આવ્યુ છે અને જ્યાં હવે મુલાકાત લેનારાઓને વધુ એક આકર્ષણનો લાભ મળશે.

પાટણની રાણકીવાવમાં હવે પ્રવાસીઓને નવુ આકર્ષણ જોવા મળશે. વિશ્વ વિરાસત સ્થળ પર હવે નવું આયોજન કરવામાં આવ્યુ છે અને જ્યાં હવે મુલાકાત લેનારાઓને વધુ એક આકર્ષણનો લાભ મળશે.

2 / 6
વરસે ચારેક લાખ પ્રવાસીઓ વિશ્વ વિરાસત રાણકીવાવની મુલાકાત લેતા હોય છે. જેઓ અહીં કલા સ્થાપત્યના વારસને નિહાળીને અદ્ભૂત અહેસાસ અનુભવતા હોય છે.

વરસે ચારેક લાખ પ્રવાસીઓ વિશ્વ વિરાસત રાણકીવાવની મુલાકાત લેતા હોય છે. જેઓ અહીં કલા સ્થાપત્યના વારસને નિહાળીને અદ્ભૂત અહેસાસ અનુભવતા હોય છે.

3 / 6
ટૂંક સમયમાં જ હવે અહીં થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટ શરુ થનાર છે. વાવ સંકુલમાં જ મેપિંગ શો અને હેરિટેજ લાઈટીંગનો શો પણ શરુ કરવામાં આવનાર છે.

ટૂંક સમયમાં જ હવે અહીં થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટ શરુ થનાર છે. વાવ સંકુલમાં જ મેપિંગ શો અને હેરિટેજ લાઈટીંગનો શો પણ શરુ કરવામાં આવનાર છે.

4 / 6
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યટન સ્થળોના વિકાસ અને તેના આકર્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જે મુજબ હવે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા નવા પ્રોજેક્ટને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યટન સ્થળોના વિકાસ અને તેના આકર્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જે મુજબ હવે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા નવા પ્રોજેક્ટને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

5 / 6
આ માટે 18.83 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંભવિત ખર્ચ સાથેના ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જેના થકી ભવ્ય લાઈટીંગ સહિતનો નજારો જોવા મળશે.

આ માટે 18.83 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંભવિત ખર્ચ સાથેના ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જેના થકી ભવ્ય લાઈટીંગ સહિતનો નજારો જોવા મળશે.

6 / 6
રાણીની વાવ 900  વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ ધરાવે છે. અહીંની દિવાલો અને સ્તંભો પર અદ્ભૂત કલાકૃતિઓ અને શિલ્પો કોતરવામાં આવી છે.

રાણીની વાવ 900 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ ધરાવે છે. અહીંની દિવાલો અને સ્તંભો પર અદ્ભૂત કલાકૃતિઓ અને શિલ્પો કોતરવામાં આવી છે.

Follow Us