કુંભ અને મહાકુંભ દરમિયાન થીજાવી દેતી ઠંડીમાં પણ નાગા બાવા નિર્વસ્ત્ર રહે છે. તો અસહ્ય ગરમીમાં ભભૂત લગાવીને નજરે ચઢે. નાગાઓને ન કોઈ આવતા જોવે છે અને ન જતા. નાગા સાધુઓની જિંદગી ખૂબ કઠિન હોય છે. તેમની તૈયાર થવાની પ્રક્રિયા પણ કેટલાંયે વર્ષો સુધી ચાલે છે અને ત્યારબાદ નાગા સાધુ તૈયાર થાય છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિ નાગા સાધુ બનવા અખાડામાં જાય છે, તો સૌથી પહેલા તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવામાં આવે છે. જ્યારે અખાડો સંપૂર્ણ રીતે ખાતરી કરી લે છે, ત્યારે શરૂ થાય છે તે વ્યક્તિની અસલી પરીક્ષા. અખાડામાં પ્રવેશ્યા બાદ નાગા સાધુઓની બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે જેમાં તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, સંન્યાસ અને ધર્મની દીક્ષા આપવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષથી લઈને 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એક વખત અખાડો નક્કી કરી લે તે વ્યક્તિ દીક્ષા લેવાને લાયક બની ગઈ છે ત્યારબાદ તેને આગળની બીજી પ્રક્રિયામાં પસાર થવાનું હોય છે. બીજી પ્રક્રિયામાં નાગા બાવા પોતાનું મુંડન કરાવીને પિંડદાન કરી દે છે, ત્યારબાદ તેમનું જીવન અખાડા અને સમાજ માટે સમર્પિત થઈ દાય છે. તેઓ સાંસારિક જીવનથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય છે. તેમનો પોતાના પરિવાર કે સંબંધીઓ સાથે કોઈ મતલબ નથી રહેતો.
આ બીજી પ્રક્રિયામાં નાગા પોતાનું મુંડન કરાવીને પોતાનું જ પિંડદાન કરી દે છે. આ એવી પ્રક્રિયા છે જેમાં તે પોતાને પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માની લે છે અને પોતાના જ હાથોથી પોતાનું શ્રાદ્ધ કરે છે ત્યારબાદ અખાડાના ગુરૂ નવું નામ અને ઓળખ આપે છે.
નાગા સાધુ બન્યા બાદ તેઓ પોતાના શરીર પર ભભૂતની ચાદર ચઢાવી લે છે. આ ભસ્મ બહુ લાંબી પ્રક્રિયા બાદ બને છે. મડદાની રાખને શુદ્ધ કરી તેને શરીર પર મલવામાં આવે છે અને ત્યારબાદ હવન કે ધૂનીની રાખથી શરીર ઢાંકવામાં આવે છે.
આ પણ વાંચો: 2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી
એવું મનાય છે કે મોટા ભાગના નાગા સાધુ હિમાલય, કાશી, ગુજરાત અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં રહે છે. નાગા બાવા વસ્તીથી દૂર ગુફાઓમાં સાધના કરે છે. એવું પણ કહેવાય છે કે નાગા બાવાઓ હંમેશાં એક જ ગુફામાં નથી રહેતા. તેઓ પોતાની જગ્યા બદલ્યા કરે છે. કેટલાયે નાગા સાધુઓ જંગલમાં ફરતા ફરતા કેટલાંયે વર્ષો કાઢી નાખે છે અને બસ કુંભ કે અર્ધ કુંભમાં જ જોવા મળે છે.
એવું કહેવાય છે કે નાગા સાધુ 24 કલાકમાં માત્ર એક વાર જ ખાય છે. અને એ ખોરાક પણ ભિક્ષા માગીને ભેગો કરેલો હોય છે. તેના માટે નાગા બાવાઓને 7 ઘરોમાંથી ભિક્ષા લેવાનો અધિકાર હોય છે. જો આ સાત ઘરોમાંથી કંઈ ન મળે તો તેમણે ભૂખ્યા રહેવાનો વારો આવે છે.
[yop_poll id=387]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:35 am, Tue, 1 January 19