મહિને રૂપિયા 1 લાખથી વધુનો પગાર ધરાવતા આ IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં કરશે માત્ર રૂ.18,000નો ખર્ચ, દરેકે વાંચવા જેવી ખબર

|

Feb 08, 2019 | 4:46 AM

દેખાડાના આ જમાનામાં જ્યાં એકબાજુ સામાન્ય પરિવાર પણ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં નથી ચૂકતા, ત્યાં એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં માત્ર 18 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યાં છે. આ IAS અધિકારી અને તેમનો પરિવાર સાદગીમાં માને છે અને તેથી તેમણે આ નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના બસંત કુમાર નામના આધિકારીએ પોતાના લગ્નમાં માત્ર […]

મહિને રૂપિયા 1 લાખથી વધુનો પગાર ધરાવતા આ IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં કરશે માત્ર રૂ.18,000નો ખર્ચ, દરેકે વાંચવા જેવી ખબર

Follow us on

દેખાડાના આ જમાનામાં જ્યાં એકબાજુ સામાન્ય પરિવાર પણ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં નથી ચૂકતા, ત્યાં એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં માત્ર 18 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યાં છે.

આ IAS અધિકારી અને તેમનો પરિવાર સાદગીમાં માને છે અને તેથી તેમણે આ નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના બસંત કુમાર નામના આધિકારીએ પોતાના લગ્નમાં માત્ર રૂ.2,500નો ખર્ચ કર્યો હતો અને પોતાના દીકરાાના લગ્નમાં કરશે માત્ર રૂ.18 હજારનો ખર્ચ.

આપણને સૌને માલૂમ છે કે એક IAS અધિકારીનો પગાર કેટલો બધો હોય છે. સમાજમાં તેમનો રૂત્બો જ અલગ હોય છે. તે ઈચ્છે તેટલી ધામધૂમથી પોતાના બાળકોના લગ્ન કરી શકે. પરંતુ બસંત કુમાર પટનાલાના દીકરાના 10 ફેબ્રુઆરીએ થનાર લગ્નમાં જરૂર પૂરતો જ ખર્ચ કરાશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

TV9 Gujarati

તેમનો દીકરો અભિનવ બેંક મેનેજર છે, જ્યારે કે વહુ લાવણ્યા ડૉક્ટર છે.

આ લગ્ન અંગે અધિકારીએ કહ્યું,

“અમે જે પંથને માનીએ છીએ તે રાધાસ્વામી પંથ છે. તેમાં દીકરાના લગ્નમાં 18 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ ન કરી શકીએ. અમે સાદગીમાં માનીએ છીએ. વર-વધૂ બંને પરિવારો 18 હજાર રૂપિયાનો ખર્ચ કરશે જેમાં મહેમાનોનું બપોરનું ભોજન સામેલ છે. બંને પક્ષ ભેગા કરીએ તો 100થી વધુ મહેમાનો નહીં હોય. ખાવા-પીવાની વાત કરીએ તો એક પ્લેટ માત્ર રૂ.15થી 20ની વચ્ચેની હશે. અને પૂજારીને 1 હજાર રૂપિયા આપીશું.”

આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિમ્હન પણ એક સમારોહમાં આ કપલને આશીર્વાદ આપશે.

બસંત કુમારને વર્ષ 2012માં આઈએએસ કેડરનું પ્રમોશન મળ્યું હતું. તેઓ અગાઉ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ગર્વનર નરસિમ્હનના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ વિશાખાપટ્ટનમ મેટ્રોપોલિટન રીજન ડેવલોપમેન્ટ ઓથોરિટી (VMRDA)ના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે 2017માં પોતાની દીકરીના લગ્ન પણ આ અધિકારીએ ખૂબ સાદગીથી કર્યા હતા. તેમણે આ લગ્નમાં માત્ર રૂ.16,100નો ખર્ચ કર્યો હતો.

[yop_poll id=1194]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article