ત્યાર બાદ પ્રેમજીભાઈ અને તેમના પુત્ર પુંજાલાલ ઠક્કરે આ વ્યવહારથી દુભાઈને ઇસ્લામ સ્વીકારી લીધો હતો.
શું ભારતના ભાગલાનું કારણ એક માછલી કારોબાર હતો ? પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલમાં કૉંગ્રેસના મહામંત્રી ડૉ. શકીલ અહેમદના મતે આ સવાલનો જવાબ હા છે.
નવી દિલ્હીની કૉંસ્ટિટ્યુશન ક્લબ ખાતે ગત 10 જાન્યુઆરીએ યોજાયેલ એક પુસ્તક વિમોચન પ્રસંગે ડૉ. શકીલ અહેમદે દાવો કર્યો કે જ્યારે મોહમ્મદ અલી ઝીણાના દાદા પ્રેમજીભાઈ ઠક્કરે ગુજરાતના કાંઠાળ શહેર વરેવાળમાં માછલીના વ્યવસાયમાં ઉતરવાનો નિર્ણય કર્યો, તો તેમને તેમના લોહાણા સમુદાય (ધુડી રાજપૂતની ઉપજાતિ)માંથી બહિષ્કૃત કરી દેવાયાં, કારણ કે લોહાણા સમુદાય કડક શાકાહારી નિયમોનો પાલન કરનારો સમુદાય છે.
પોતાની જાતિએ બહિષ્કાર કરતા પ્રેમજીભાઈ ઠક્કરે એક તરફ માછલીનો કારોબાર ચાલુ રાખ્યો અને બીજી બાજુ તેમણે સમુદાય ફરીથી તેમનો સ્વીકાર કરે, તેવા પ્રયત્નો કર્યા, પરંતુ સમુદાયે આની પરવાનગી ન આપી. પ્રેમજીભાઈ ઠક્કરના ત્રણ પુત્રો હતા વાલજી, નાથૂ અને પુંજા.
સમુદાય તરફથી સ્વીકાર ન થતાં પ્રેમજીભાઈ ઠક્કર અને તેમના પુત્ર પુંજાલાલ ઠક્કર બહુ જ આહત થયાં અને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લીીધો. પુંજાલાલ ઠક્કર (1857-1902)એ ઝીણા (Jinnah) સરનેમ રાખી. આ સરનેમ પુંજાલાલના ગુજરાતી હુલામણા નામ ઝીણો (જિન્નો) નામમાંથી લેવામાં આવી. ઝીણાનો અર્થ થાય છે દુબળું-પાતળું.
પુંજાલાલ ઠક્કરે પોતાના છ સંતાનોને મુસ્લિમ નામો આપ્યાં. આ સંતાનોમાં મોહમ્મદ અલી, રહેમત બાઈ, બંદે અલી, મરિયમ બાઈ , અહેમદ અલી, શિરીન બાઈ અને ફાતિમા. આમાંથી મોહમ્મદ અલી ઝીણા સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીના હમસફર હતાં અને આ વાત આપણે સૌ જાણીએ છીએ.
મોહમ્મદ અલી ઝીણાના દાદા એટલે પ્રેમજીભાઈ અને પિતા પુંજાલાલ ઠક્કરે બે વાર ધર્મ પરિવર્તન કર્યું. પહેલા તેઓ ઇસ્લામી સમ્પ્રદાય સાથે જોડાયા અને પછી શિયા મસ્કલ સાથે જોડાયાં.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. શકીલ અહેમદનું કહેવું છે કે જો પ્રેમજી અને પુંજાલાલ ઠક્કરને તેમના સમાજે નકાર્યા ન હોત, તો તેઓ ઇસ્લામ ધર્મ ન સ્વીકારત, તેમના વંશજ મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ ન હોત અને દેશ ભાગલાના દંશથી બચી ગયો હોત કે જેમાં લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હતાં.
યૂએનએચઆરસીનો અંદાજ છે કે ભાગલા દરમિયાન થયેલી હિંસામાં લગભગ 1 કરોડ 40 લાખ લોકો વિસ્થાપિત થયા હતાં. સૅમ્યુઅલ બટલરના જણાવ્યા મુજબ, ‘ભગવાન ભૂતકાળ બદલી નથી શકતાં, પરંતુ ઇતિહાસકારો આવું કરી શકે છે.’ અકબર અહેમદ જેવા અનેક પાકિસ્તાની ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે રાજપૂતોમાં જન્મેલા ઝીમાનના પિિતાએ ઇસ્માઇલી ખોજા પરિવારમાં લગ્ન કર્યા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.
ડૉ. શકીલ અહેમદના જણાવ્યા મુજબ માછલી વ્યવસાય અને જાતિ વ્યવસ્થા ભારતના ભાગલા માટે જવાબદાર હતાં. કોઈ પણ મુસ્લિમ શાસકે ભારતના ભાગલા કરવાનની કોશિશ ન કરી, પરંતુ અંગ્રેજોએ ઝીણાની અંદર ભારતને ભાગલા કરવા માટે એક યોગ્ય અભિનેતા શોધી કાઢ્યો હતો.
[yop_poll id=598]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:22 am, Mon, 14 January 19