સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

|

Jan 02, 2019 | 6:15 AM

દરેક ઘરની મોટા ભાગે સમસ્યા હોય છે સાસુ-વહુના ઝઘડા. આ સંબંધના મૂળમાં ખેંચતાણ રહેલી છે. જોકે સમયની સાથે સાસુ-વહુનો સંબંધ પણ બદલાયો છે. પરંતુ હજી પણ એવા ઘરો મોટા ભાગે એવા છે જ્યાં સાસુ-વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય. આખરે સાસુ-વહુ વચ્ચે તાલમેલ ન રહેતા ઘરમાં ક્લેશ વધે છે અને ઘરનું વાતાવરણ ખરાબ થાય છે. વાસ્તુશાસ્ત્ર […]

સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

Follow us on

દરેક ઘરની મોટા ભાગે સમસ્યા હોય છે સાસુ-વહુના ઝઘડા. આ સંબંધના મૂળમાં ખેંચતાણ રહેલી છે. જોકે સમયની સાથે સાસુ-વહુનો સંબંધ પણ બદલાયો છે. પરંતુ હજી પણ એવા ઘરો મોટા ભાગે એવા છે જ્યાં સાસુ-વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય.

આખરે સાસુ-વહુ વચ્ચે તાલમેલ ન રહેતા ઘરમાં ક્લેશ વધે છે અને ઘરનું વાતાવરણ ખરાબ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં કેટલાંક બદલાવ કરવાથી આ બંનેના સંબંધમાં રહેલી સમસ્યા દૂર કરી શકાય છે. આવો જોઈએ, તમારા ઘરમાં થતાં સાસુ-વહુના ઝઘડાને ખત્મ કરી શકો છો…

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અહીં રાખો કચરાપેટી

ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે ઉત્તર-પૂર્વ દિશામાં કચરાપેટી ન રાખો કે ના તો તે જગ્યાએ કચરો નાખો. તેનાથી તમારા સંબંધમાં તણાવ અને ઈર્ષ્યાભાવ ખત્મ થશે. અને આ દિશાને હંમેશા ચોખ્ખી રાખો.

અહીં  રાખો મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ચંદનની મૂર્તિ રાખો અને એ પણ એવી રીતે જ્યાં સૌની નજર પડે. આમ કરવાથી સાસુ-વહુના સંબંધ પર તો અસર પડશે જ પરંતુ સાથે સાથે પરિવારમાં એકબીજા વચ્ચેનો તણાવ પણ દૂર થઈ જશે.

ઘરમાં લગાવો આવો ફોટો

વાસ્તુવિજ્ઞાન પ્રમાણે બંને વચ્ચે પ્રેમનો સંબંધ વધારવા બંનેના રૂમમાં લાલ રંગની ફ્રેમમાં તે બંનેનો ભેગો ફોટો લગાવો. તેનાથી બંને વચ્ચેનો સંબંધ સુધરશે.

રસોડાના કબાટનો આવો રાખો રંગ

રસોડામાં બનતા કબાટનો રંગ કાળો ન રાખો. કાળા રંગથી નીકળતી આલ્ફા રેડિએશન સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. અને મહિલાઓનો ઘણો સમય રસોડામાં પસાર થતો હોય છે તેવામાં તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે.

આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

સોમવારે પહેરાવો આ માળા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, સાસુ અને વહુના રૂમમાં ઝરણાં કે નદીઓના ફોટો લગાવી શકો છો. ઈન્ટિરિયર ડિઝાઈન જેટલી સારી હશે, ઘર જેટલું વ્યવસ્થિત રહેશે તેટલું જ ઘરના સભ્યોના પારસ્પરિક સંબંધ મધુર રહેશે. સાસુ અને વહુના ગળામાં સફેદ દોરામાં ચાંદીના ચંદ્રમા સોમવારે પહેરાવો. તેનાથી બંને વચ્ચે થતાં ઝઘડા ઘટશે અથવા તો સમાપ્ત જ થઈ જશે.

અહીં હોય રૂમ

સાસુ-સસરાનો રૂમ દક્ષિણ-પશ્વિમ દિશામાં હોવો જોઈએ અને દીકરા-વહુનો રૂમ પશ્વિમ કે દક્ષિણ દિશામાં હોવો જોઈએ. પરંતુ જો દીકરા-વહુનો રૂમ દક્ષિણ-પશ્વિમમાં રહેશે તો તેમના સાસુ-સસરા સાથે ઝઘડા થઈ શકે. આ દિશા ડૉમેનિટિંગ હોવાના કારણે ઘરના વડીલોને જ આ દિશામાં રહેવું જોઈએ.

[yop_poll id=434]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:15 am, Wed, 2 January 19

Next Article