ભરતપુર ભારતનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તેને રાજસ્થાનનો પૂર્વ દ્વાર પણ કહેવામાં આવે છે. આ એક પ્રાચીન શહેર છે જેનું નિર્માણ 1733માં મહારાજા સૂરજમલે કરાવડાવ્યુ હતુ. શહેરનું નામ રામ ભગવાનના ભાઇ ભરતના નામ પર પાડવામાં આવ્યુ હતુ. અહીં તમે લોહગઢ કિલ્લો, ડીગ કિલ્લો, ભરતપુર મહેલ, ગોપાલ ભવન, સરકારી સંગ્રહાલય, બોંકેબિહારી મંદિર, ગંગા મંદિર, લક્ષ્મણ મંદિર વગેરે પર્યટન કેન્દ્રોની મુલાકાત લઇ શકો છો