
આગ્રાના તાજમહેલની સુરક્ષા માટે CISF જવાનોને લગભગ એક ડઝનથી વધુ ગલોલ આપવામાં આવી છે. તેમને 17મી શતાબ્દીના આ સ્મારકના પૂર્વ અને પશ્વિમ ગેટ પાસે પ્રવાસીઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે.
તાજમહેલ ફરવા આવતા ઘણાં પ્રવાસીઓ પર વાંદરાઓ હુમલો કરી ચૂક્યા છે. ઘણાં વિદેશી પર્યટકો પણ તેમના ઝપાટામાં આવીને ઘાયલ થઈ ચૂક્યા છે. આ વાંદરાઓનો આતંક એટલો છે કે તેઓ પ્રવાસીઓના હાથમાંથી સામાન છીનવીને ભાગી જાય છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયાથી આવેલા એક પ્રવાસી પર વાંદરાએ હુમલો કર્યો હતો. ફ્રેચ પ્રવાસીઓને પણ વાંદરાઓએ બટકું ભર્યું હતું.
CISFના કમાન્ટેડ બ્રિજ ભૂષણે કહ્યું,
“વાંદરાઓ પ્રવાસીઓ પર અચાનક જ ઝૂંડમાં આવીને હુમલો કરી દે છે. વાંદરાઓનો આ પ્રકારનો આતંક જોઈને અમે પ્રવાસીઓને કોઈ પણ ખાવાના સામાન સાથે તાજમહેલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. ચેકિંગ દરમિયાન પ્રવાસીઓનો ખાવાનો સામાન કચરાના ડબ્બામાં નાખી દેવાય છે કે પછી ત્યાં બનેલા લૉકરમાં મૂકી દેવાય છે. ત્યારબાદ વાંદરાઓના હુમલાઓ ઓછા થયા છે પરંતુ તેમને ડરાવવા માટે ગલોલ આપવામાં આવી છે.”
અધિકારીઓએ કહ્યું કે વન્યજીવ સંરક્ષણ એક્ટ અંતર્ગત વાંદરાઓઓને આવી રીતે મારી ન શકાય. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ પહેલા તાજમહેલ પરિસરમાં વાંદરાઓને ભગાડવા માટે લંગૂર રાખવાની યોજના પણ બનાવાઈ હતી પરંતુ તે સફળ ન થઈ શકી.
[yop_poll id=794]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]