પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

|

Feb 06, 2019 | 10:34 AM

ભારતમાં દરેક પ્રસિદ્ધ મંદિર પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા ચોક્કસપણે પ્રચલિત હોય છે. ક્યાંક રાત-દિવસ જ્વાળા પ્રગટેલી રહે તો ક્યાંક ભગવાનને દારૂ ચઢાવાય.  અમે આજે તમને જે મંદિર વિશે જણાવવાના છીએ તે મંદિર એવું છે કે જ્યાં સિગરેટ ચઢાવાય છે. મંદિર જ નહીં, એક એવી દરગાહ પણ છે જ્યાં આલીવે લોકો સિગરેટ ચઢાવે છે. […]

પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

Follow us on

ભારતમાં દરેક પ્રસિદ્ધ મંદિર પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા ચોક્કસપણે પ્રચલિત હોય છે. ક્યાંક રાત-દિવસ જ્વાળા પ્રગટેલી રહે તો ક્યાંક ભગવાનને દારૂ ચઢાવાય. 

અમે આજે તમને જે મંદિર વિશે જણાવવાના છીએ તે મંદિર એવું છે કે જ્યાં સિગરેટ ચઢાવાય છે. મંદિર જ નહીં, એક એવી દરગાહ પણ છે જ્યાં આલીવે લોકો સિગરેટ ચઢાવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા ભૂત મામાને સિગરેટ પીવડાવે છે. તમે કરો આ મંદિરના દર્શન.

સુરત જિલ્લામાં વણઝારા ભૂત મામાનું મંદિર આવેલું છે. વણઝારા ભૂત મામાનું મંદિર સુરતના અઠવાગેટ વિસ્તારના આદર્શ સોસાઈટીમાં આવેલું છે. અહીં દરરોજ ઓછામાં ઓછી 50 સિગરેટનો ભોગ ચઢાવાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વણઝારાની સમાધિ

અહીંના પૂજારી જણાવે છે કે આશરે 150 વર્ષ પહેલા અહીં વણઝારાઓની એક ટોળકી રહેતી હતી. તે જ સમયે અહીં ખાવાનો અકાળ પડ્યો. આ દરમિયાન તેમાંથી એક વણઝારાનું મોત થઈ ગયું. તે વણઝારાની સમાધિ અહીં બનાવી દેવાઈ અને તે ભૂતમામાના નામથી જાણીતા બન્યા.

TV9 Gujarati

 

વિદ્યાર્થીઓના મામા

આ મંદિરમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા વિદ્યાર્થીઓ વણઝારા ભૂતમામાને સિગરેટનો ભોગ ચઢાવે છે. માત્ર હિંદૂ જ નહીં, કેટલાંયે મુસ્લિમ પરિવારો પણ અહીં માનતા માનવા આવે છે.

વડોદરાના જીવા મામા

આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં આવી લોકો મંદિરમાં દારૂ અને સિગરેટ ચઢાવી જીવા મામાને પ્રસન્ન કરે છે. જીવા મામાનું મંદિર વડોદરાના માંજલપુર વિસ્તારમાં છે. એક માન્યતા પ્રમાણે કેટલાંયે વર્ષો પહેલા જીવા નામનો એક યુવક બીજા ગામથી પોતાની બહેન અને ભાણેજને મળવા આવ્યો હતો. તે જ સમયે લૂંટારાઓએ ગામમાં ધાડ પાડી. જીવાએ બહાદુરી બતાવતા લૂંટારાઓનો ડટીને મુકાબલો કર્યો અને ગામના લોકોને બચાવ્યા. લૂંટારાઓ સામે લડતા લડતા તે શહીદ થઈ ગયો.

ગામના લોકોએ ત્યારબાદ અહીં એક મંદિર બનાવી દીધું. જીવાને સિગરેટ અને દારૂ ખૂબ પસંદ હતા. આજે પણ લોકો અહીં દર્શન કરવા આવે છે અને સિગરેટ-દારૂ ચઢાવે છે.

લખનઉમાં કેપ્ટન બાબાની દરગાહ

લખનઉમાં મૂસાબાગ નજીક કેપ્ટન બાબાની દરગાહ છે. અહીં તમામ ધર્મના લોકો નતમસ્તકે આવે છે. આ એક ખ્રિસ્તી સૈનિકની દરગાહ છે. અહીં પૂજા સામગ્રીની સાથે સિગરેટ અને દારૂ પણ ચઢાવવામાં આવે છે. અહીં કબર 21 માર્ચ 1858ની લડાઈમાં શહીદ થયેલા એક કેપ્ટનની છે.

માન્યતા છે કે આ કેપ્ટન વેલ્સને સિગરેટ અને દારૂનો ઘણો શોખ હતો એટલે તેની કબર પર લોકો સિગરેટ ચઢાવે છે. કેપ્ટન બાબાની કબર પર સિગરેટ ચઢાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

[yop_poll id=1136]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article