Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદ મામલે શું રદ્દ થશે ASIના સર્વેનો નિર્ણય ? અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય કેમ છે મહત્વનો, જાણો અહીં

|

Jul 25, 2023 | 9:48 AM

હાઈકોર્ટના નિર્ણયથી જ્ઞાનવાપી કેમ્પસમાં 24 જુલાઈથી શરૂ થયેલો સર્વે આગળ ચાલુ રહેશે કે કેમ તે નક્કી થશે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશના 21 જુલાઈના નિર્ણયના આધારે ASIએ 24 જુલાઈથી સર્વેનું કામ શરૂ કર્યું.

Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદ મામલે શું રદ્દ થશે ASIના સર્વેનો નિર્ણય ? અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય કેમ છે મહત્વનો, જાણો અહીં
Gyanvapi Masjid Why decision of HC is important

Follow us on

Gyanvapi Case: જ્ઞાનવાપી મસ્જિદની વ્યવસ્થા સમિતિ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે અને વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી સંકુલનો સર્વે ASI પાસેથી શરૂ કરવાના મામલે વધુ તારીખ મેળવવાનો પ્રયાસ કરશે. ડિસ્ટ્રિક્ટ જજના નિર્ણયને રદ કરવા અને અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તેના પર સ્ટે મૂકવાની માંગ સાથે આ અરજી દાખલ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને તાકીદના આધારે આજે જ આ અરજીની સુનાવણી માટે અપીલ પણ કરવામાં આવશે. મસ્જિદ કમિટીની અરજી પર આજે જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. સર્વે પર વચગાળાનો સ્ટે મૂકતાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.

હાઈકોર્ટનો નિર્ણય કેમ મહત્વનો?

હાઈકોર્ટમાંથી આવતા નિર્ણયથી જ્ઞાનવાપી કેમ્પસમાં 24 જુલાઈથી શરૂ થયેલો સર્વે આગળ ચાલુ રહેશે કે કેમ તે નક્કી થશે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશના 21 જુલાઈના નિર્ણયના આધારે ASIએ 24 જુલાઈથી સર્વેનું કામ શરૂ કર્યું. સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે થોડા કલાકો બાદ સર્વેની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ મામલાને રોકી દીધો છે અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મસ્જિદ કમિટી આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરશે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ASI દ્વારા વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરાવવાના મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટના 8 એપ્રિલ 2021ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી આજે બપોર પછી થઈ શકે છે. વારાણસીની જિલ્લા અદાલતે 8 એપ્રિલ 2021ના રોજ આદેશ જારી કર્યો હતો કે મંદિર-મસ્જિદની સત્યતા જાણવા માટે વિવાદિત જગ્યાનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સર્વે કરવામાં આવે.

વ્યવસ્થા સમિતિ અને વકફ બોર્ડે પડકાર ફેંક્યો

જ્ઞાનવાપી મસ્જિદની વ્યવસ્થા સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે વારાણસી કોર્ટના આ નિર્ણયને અલગ-અલગ અરજીઓ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજીઓ પર સુનાવણી કરતા નીચલી કોર્ટના સર્વેના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટમાં જસ્ટિસ પ્રકાશ પડિયાની સિંગલ બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી.

ગયા વર્ષે 28 નવેમ્બરે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે, લગભગ 6 મહિના સુધી ચુકાદો અનામત રાખ્યા બાદ, હાઇકોર્ટે મે મહિનામાં ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ બંને અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી થવાની છે.

બપોરે 2 વાગ્યાથી જસ્ટિસ પ્રકાશ પડિયાની સિંગલ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મુસ્લિમ પક્ષ તરફથી આજે યોજાનારી સુનાવણી મોકૂફ રાખવાની માંગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના વકીલ વૈદ્યનાથન અને હરિશંકર જૈન, જેમણે હિન્દુ પક્ષ વતી અયોધ્યામાં રામલલાનો કેસ લડ્યો હતો, તેઓ દલીલ કરશે. આ બે અરજીઓ સાથે જ્ઞાનવાપી વિવાદ સાથે સંબંધિત ત્રણ અન્ય અરજીઓ પણ જોડવામાં આવી છે.

કોર્ટે ત્રણેય અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો

આ ત્રણેય અરજીઓ 1991માં વારાણસીની કોર્ટમાં હરિહર નાથ પાંડે અને અન્યો દ્વારા દાખલ કરાયેલી સિવિલ દાવોની જાળવણી સાથે સંબંધિત છે. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આ ત્રણેય અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો છે, જો કે સર્વેને લગતી બે અરજીઓ એકબીજા સાથે જોડાયેલી હોવાથી કોર્ટે હજુ સુધી આ મામલે પોતાનો ચુકાદો આપ્યો નથી.

કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર આજે જ્યારે મસ્જિદ પક્ષકારો દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે તેને આ જૂની પિટિશનમાં પણ ઉમેરવી જોઈએ અને તમામની સુનાવણી એકસાથે થવી જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article