વૈષ્ણો દેવી મંદિર ખાતે મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ, ભજનોથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર

કોરોના કાળમાં તમામ સાવધાની વચ્ચે  માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શનિવારે શતચંડી મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો. નવરાત્રિના પ્રારંભ સાથે જ આસપાસનું વાતાવરણ ભજનના અવાજથી ગુંજી ઉઠ્યું. જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકૂટ પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે 7 હજાર […]

વૈષ્ણો દેવી મંદિર ખાતે મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ, ભજનોથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
| Edited By: | Updated on: Oct 18, 2020 | 6:45 PM

કોરોના કાળમાં તમામ સાવધાની વચ્ચે  માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શનિવારે શતચંડી મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો. નવરાત્રિના પ્રારંભ સાથે જ આસપાસનું વાતાવરણ ભજનના અવાજથી ગુંજી ઉઠ્યું. જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકૂટ પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે 7 હજાર શ્રધ્ધાળુંઓ દર્શન માટે પહોંચ્યા હતા. નવરાત્રિ ઉત્સવની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક રીતી-રિવાજ સાથે થઇ. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના અધિકારીએ જણાવ્યું કે શાંતિ, સમૃધ્ધિ અને માનવના સારા સ્વાસ્થ્ય માટે પવિત્ર ગુફા મંદિરમાં ચાલું થયેલો યજ્ઞ મહાનવમીના દિવસે પૂર્ણ આહુતિ સાથ સંપન્ન થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો