Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

|

Dec 29, 2021 | 4:55 PM

ઉત્તરાખંડની બાજપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યશપાલ આર્ય, તેમના પુત્ર અને નૈનીતાલના ધારાસભ્ય સંજીવ આર્ય સાથે સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.

Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા
Uttarakhand Assembly Election 2022

Follow us on

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી 2022 (Uttarakhand Assembly Election 2022) ના થોડા મહિના પહેલા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ધારાસભ્ય યશપાલ આર્ય કોંગ્રેસમાં જોડાયા છે. આ દરમિયાન, પરિવહન મંત્રી યશપાલ આર્ય તેમના પુત્ર નૈનીતાલના ધારાસભ્ય સંજીવ આર્ય સાથે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

યશપાલ ઉત્તરાખંડ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી અને પરિવહન મંત્રી હતા. આ દરમિયાન, બંને નેતાઓ પૂર્વ સીએમ હરીશ રાવત, રાજ્ય પ્રભારી દેવેન્દ્ર યાદવ, કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલ, રાષ્ટ્રીય મહામંત્રી-સંગઠન કેસી વેણુગોપાલ, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

યશપાલ આર્ય હાલમાં ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમની પાસે 6 વિભાગો છે – પરિવહન, સમાજ કલ્યાણ, લઘુમતી કલ્યાણ, વિદ્યાર્થી કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગ. જ્યારે સંજીવ આર્ય તેમના પુત્ર છે. યશપાલ આર્ય બાજપુરથી ધારાસભ્ય છે અને તેમનો પુત્ર સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બંનેએ 2017 માં કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા, જે બાદ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં બંનેને ઉમેદવાર બનાવ્યા હતા. પિતા અને પુત્ર પણ ભાજપ પક્ષમાંથી જીત્યા હતા. આ પછી, ભાજપ સરકારે યશપાલ આર્યને કેબિનેટ મંત્રી બનાવ્યા. જોકે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા જ યશપાલ અને સંજીવ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે.

પુષ્કર સિંહ ધામીના કાર્યકાળમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા
બાજપુર બેઠકના ધારાસભ્ય યશપાલ આર્યએ જુલાઈ મહિનામાં જ સીએમ પુષ્કર સિંહ ધામી સાથે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. યશપાલ આર્ય સાથે, બિશન સિંહ, અરવિંદ પાંડે, ગણેશ જોષી અને સુબોધ ઉનિયાલ પણ પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળમાં જોડાયા. તેમણે મંત્રીના શપથ પણ લીધા છે. આ સિવાય ધનસિંહ રાવત, રેખા આર્ય અને યતિશ્વર નંદે પણ મંત્રી તરીકે શપથ લીધા.

ધનોલ્ટીના ધારાસભ્ય પ્રીતમ પંવાર ભાજપમાં જોડાયા
અગાઉ ધનૌલ્ટીના ધારાસભ્ય પ્રીતમ પંવાર પણ ભાજપમાં જોડાયા છે. ટિહરી જિલ્લા વિધાનસભા ધનોલ્ટીથી અપક્ષ ધારાસભ્ય પ્રીતમ સિંહ પંવાર પણ ભૂતકાળમાં દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા. ઉત્તરાખંડમાં યોજાયેલી છેલ્લી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં, અપક્ષ ઉમેદવાર પ્રીતમ સિંહ પંવાર જીત્યા હતા. પરંતુ હવે ચૂંટણી પહેલા તેઓ ફરી ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ

આ પણ વાંચો : Power cuts Punjab : પંજાબમાં 13 ઓક્ટોબર સુધી રહેશે વીજળી કાપ, કોલસાથી ચાલતા પ્લાન્ટ 50 ટકા ક્ષમતા પર કાર્યરત છે

Published On - 1:11 pm, Mon, 11 October 21

Next Article