Uttarakhand Joshimath Dam News: ઉત્તરાખંડની આફત પર PM MODIની સીધી નજર, અમિત શાહે તમામ મદદની આપી ખાતરી

|

Feb 07, 2021 | 5:34 PM

Uttarakhand Joshimath Dam News: ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘટેલી કુદરતી હોનારત મુદ્દે મુખ્યપ્રધાન રાવતજી સાથે વાત કરી છે. DG, ITBP, DG ,NDRF સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારી લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર તૂટતા તબાહી મચી ગઈ છે. જિલ્લાના રેણી ગામ પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટ્યો છે. ડેમનું પાણી ધૌલીગંગા સહિતની નદીઓમાં પૂર આવ્યું છે. દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને મોટું નુક્સાન થયું છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવનું કહેવું છે કે ઘટના બાદ પાવર પ્રોજેક્ટમાં કામ કરનારા 100થી 150 લોકો ગુમ છે.

સમગ્ર ઘટના અંગે રાજ્યના સીએમ રાવતે સૌને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને જૂના વીડિયો શેર ન કરવા અપીલ કરી છે.. આ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, નીતિશ કુમાર સહિતના દિગ્ગજોએ સંવેદના વ્યક્ત કરી છે.. અને જરૂરી પગલાં માટે સૂચન કર્યું છે..પીએમ મોદીએ સીએમ રાવતને ફોન પર વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘટેલી કુદરતી હોનારત મુદ્દે મુખ્યપ્રધાન રાવતજી સાથે વાત કરી છે. DG, ITBP, DG ,NDRF સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારી લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છે. દેવભૂમિને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

 

Published On - 4:19 pm, Sun, 7 February 21

Next Video