ટ્વીટર દ્વારા કેટલાક ટ્વીટર હેન્ડલ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રસાર ભારતીના(Prasar Bharti ) સીઈઓ શશી શેખરના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ટ્વીટરની આ કાર્યવાહી બાદ પ્રસાર ભારતીએ ટ્વીટર ભારત પાસેથી આ સંદર્ભમાં જવાબ માંગ્યો છે. પ્રસાર ભારતીએ એક ટ્વીટ દ્વારા ટ્વીટર અને ટ્વીટર ભારતને પૂછ્યું હતું કે શું તમે જણાવી શકો છો કે પ્રસાર ભારતીના સીઈઓનાં ટ્વીટર હેન્ડલ ઉપર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
પ્રસાર ભારતીએ આ સંદર્ભમાં એક સ્ક્રીન શોર્ટ શેર કર્યો હતો. જેમાં ટ્વીટર પર પ્રતિબંધ બાદ એવું લખાઈને આવે છે કે Account Withheld. Your account has been withheld in India in response to a legal demand. આનો અર્થ છે કે લીગલ એક્શનની માંગ બાદ તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટ્વીટરે 250 એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા છે. જેમાં કારવા મેગેઝીન, એક્ટર સુશાંત સિંહ, કિસાન એકતા મોરચા, AAPના ધારાસભ્ય જરનૈલ સિંહ જેવા નામ શામેલ છે. હજી સુધી આ મામલે ટ્વીટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે તપાસ એજન્સીઓની માંગ પછી ટ્વીટર દ્વારા 250 ટ્વીટર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અભિનેતા સુશાંત સિંહ પણ તાજેતરમાં એક વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. આ અભિનેતા સતત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતો હતો.
આ પણ વાંચો: Farmer Protest : ખેડૂત આંદોલનને લઈને ચીને ઓકયું ઝેર, દુનિયાના ઉગ્ર આંદોલનો સાથે સરખાવ્યું