આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

|

Jan 04, 2022 | 10:45 AM

દેશમાં એક એવું ગામ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી થઈ રહ્યા છે. આવો જાણીએ આ ગામ વિષે

આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ
baba wayil ( File photo)

Follow us on

લગ્નમાં અમુક વાર વરપક્ષ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હોય છે. દહેજ ના આપવાને કારણે ઘણીવાર ઝઘડા પણ થાય છે. પરંતુ દેશમાં એક અનોખું ગામ છે. કાશ્મીરમાં(Kashmir) એક ગામ એવું પણ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામનું નામ બાબા વાઇલ (baba wayil) છે. આ ગામ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલું છે. શ્રીનગરથી(Sri nagar) 35 કિમી દૂર આવેલા આ ગામમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવી રહ્યા છે.1000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ 200 ઘર છે.

અહીં રહેતા નઈમ અહેમદ શાહ અને તેના ભાઈના લગભગ 6 મહિના પહેલા લગ્ન થયા હતા. આ લગ્નમાં કુલ 10 હજાર રૂપિયાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય નઈમ કહે છે કે અમારા ગામમાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એક દસ્તાવેજ પર સહી કરીને ગામના 100 પરિવારોએ પ્રતિજ્ઞા લીધી કે ન તો દહેજ આપશે અને ન દહેજ લેશે.

પોતાના લગ્ન વિશે જણાવતા નઈમ કહે છે કે, મેં દુલ્હનને 2600 રૂપિયા અને લગ્ન કરનાર ઈમામને 1 હજાર રૂપિયા આપ્યા હતા. ભાઈના લગ્ન પણ આ રીતે કરવામાં આવ્યા હતા. લગ્નમાં કુલ 10 હજાર રૂપિયાથી ઓછો ખર્ચ થયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

નિયમોના ભંગ બદલ નમાજ પઢવા પર પ્રતિબંધ

નઇમ કહે છે કે અમારું ગામ એક પરિવારની જેમ રહે છે. જો કે દહેજ ન લેવાનો અને સાદગીથી લગ્ન કરવાનો રિવાજ જૂનો છે, પરંતુ સત્તાવાર રીતે આ ઠરાવ 2018માં શરૂ થયો હતો. જ્યારે ગામના વડીલોએ ભેગા મળીને એક દસ્તાવેજ પર સહી કરી હતી. દસ્તાવેજ અનુસાર, જો કોઈ પરિવાર આ નિયમનો ભંગ કરે છે. તો તેના પરિવારનો બહિષ્કાર કરી દેવામાં આવશે. તેમને સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી અને માતમમાં પણ ભાગ લેવાની પણ મંજૂરી નથી.

નઈમ કહે છે કે, અહીંના 7થી 8 ટકા લોકોએ ગામની બહાર લગ્ન પણ કર્યા છે, પરંતુ તેમણે પણ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો નથી. 2021માં પણ લગભગ 16 લગ્નો અત્યંત સાદગીથી થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દહેજ ન લેવાની પરંપરા લગભગ 40 વર્ષથી ચાલી આવે છે.

સોના ઉપર પણ બંને પક્ષથી પ્રતિબંધ છે

ગામમાં નમાઝ શીખવતા 60 વર્ષીય ઇમામ બશીર અહેમદ કહે છે કે અહીં યોજાતા લગ્નોમાં બંને બાજુથી સૂવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે. લગ્નમાં માત્ર 4 થી 5 વાનગીઓ જ બનાવવામાં આવે છે. પહેલાના લગ્નોમાં વર પક્ષમાંથી લગભગ 15 થી 20 લોકો જતા હતા. પરંતુ આ સંખ્યા ઘટીને 4 થી 5 થઈ ગઈ છે.

યુવાનોના કારણે ગામમાં પરિવર્તન આવ્યું

બશીર કહે છે કે આ બધું યુવાનોના કારણે જ શક્ય બન્યું છે. અમને તેમના પર ગર્વ છે. છેલ્લા 17 થી 18 વર્ષમાં એક પણ એવો કિસ્સો સામે આવ્યો નથી કે જ્યારે કોઈએ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો હોય. ગામમાં સૌ ખુશ છે. તે જ ગામના રહેવાસી 30 વર્ષીય સૈયદ જાવિદ કહે છે, “મારા લગ્ન 2015માં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ મેં સાસરિયાં વતી ઉઠાવ્યો હતો. દહેજ વિરુદ્ધ કડકાઈથી અહીં પરિવર્તન આવી રહ્યું છે. હવે લગ્નોમાં પૈસાનો વ્યય થતો નથી. સેંકડો બહેનોના લગ્નમાં દહેજનો કોઈ અવરોધ નથી.

Next Article