TV9 GUJARATI | Edited By: Gautam Prajapati
Jun 25, 2021 | 1:59 PM
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે એટલે કે આજે દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજના બાંધકામ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રક્ષામંત્રીએ કહ્યું કે આ ભારતનું ગૌરવ અને આત્મનિર્ભર ભારતનું એક ચમકતું ઉદાહરણ છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમના પ્રવાસના બીજા દિવસ શુક્રવારે સવારે કોચિ સ્થિત કોચિન શિપયાર્ડ લિમિટેડ (CHL) પહોંચ્યા. આ દરમિયાન તેમણે નિર્માણાધીન પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ (IAC) નું નિરીક્ષણ કર્યું. આ યુદ્ધ જહાજનું સમુદ્રમાં પરીક્ષણ આગામી કેટલાક મહિનાઓમાં શરુ થવાનું છે. આ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળના ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઇન (DND) દ્વારા બનાવવામાં આવ્યું છે.
રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે સ્વદેશી વિમાનવાહક પર ચાલી રહેલા કામની તેમણે પહેલીવાર સમીક્ષા કરી. તેમણે આણે ભારતનું ગૌરવ અને આત્મનિર્ભર ભારતનું એક ચમકતું ઉદાહરણ કહ્યું છે. આ યુદ્ધ જહાજના આગમન સાથે દેશની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે.
અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહેલા આ યુદ્ધ જહાજ સમુદ્રમાં નૌકાદળની તાકાતમાં વધારો કરશે. ભારતીય નૌસેના કર્ણાટકના કારવર ખાતેના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૌકાદળનું વિસ્તરણ કરી રહી છે. એકવાર આધાર સંપૂર્ણ વિકસિત થઈ જાય, તો આ એશિયાના સૌથી મોટા નૌસેનિક અદ્દામાનું એક બની જશે.
આ પરિયોજના પૂર્ણ થઇ જાવા પર માત્ર ભારતની રક્ષા તૈયારીઓ જ મજબુત નહીં થાય પરંતુ સાથે દેશનો વેપાર અને અર્થવ્યવસ્થા અને તે દ્વારા આપવામાં આવતી માનવતાવાદી સહાયતાને પણ મજબૂત થશે.