ભાગતા રહ્યા સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ, કરી એક ભૂલને પોલીસે દબોચી લીધા

|

Dec 10, 2023 | 9:39 AM

સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે હાજર હતા ત્યારે ત્રણ બદમાશોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. બદમાશો અચાનક આવ્યા અને તરત જ સુખદેવ સિંહને નિશાન બનાવ્યા અને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાગતા રહ્યા સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ, કરી એક ભૂલને પોલીસે દબોચી લીધા

Follow us on

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હવે દિલ્હી અને રાજસ્થાનની પોલીસે ચંદીગઢની એક હોટલમાંથી આ ઘટનામાં સામેલ બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના નામ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉધમ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ હોટલ પર પહોંચી ત્યારે ગુનામાં સામેલ બે આરોપીઓ રોહિત અને નીતિન સાથે ઉધમ પણ હાજર હતો.

ગુનો કર્યા બાદ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી પોલીસને ચકમો આપવા સતત પોતાનું લોકેશન બદલતા રહ્યા હતા. જયપુરમાં સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ બંને હરિયાણાના હિસાર પહોંચ્યા હતા. આ પછી ફરી બસમાં મનાલી ભાગી ગયા હતા. પરંતુ, બંને અહીંથી ન અટક્યા, તેઓ અહીંથી ચંદીગઢ પહોંચ્યા હતા. જો કે, બંને બદમાશોએ એક ભૂલ કરી હતી. આ બદમાશોએ તેમના મોબાઈલ ચાલુ રાખ્યા હતા. તેમના મોબાઈલ લોકેશનની મદદથી પોલીસ ચંદીગઢ પહોંચી અને બંનેની ધરપકડ કરી હતી.

17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર બદમાશોએ કુલ 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ તેમની બંદૂક પણ છુપાવી દીધી હતી. રસ્તામાં તેમની પાસે માત્ર રોકડ અને મોબાઈલ હતો. તેમણે આવું એટલા માટે કર્યું જેથી કોઈને તેમના પર શંકા ન કરી શકે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ગુનેગારો વીરેન્દ્ર ચાહન અને દાનારામના સતત સંપર્કમાં હતા. આ બંનેના કહેવા પર તેણે સુખદેવ સિંહની હત્યા કરી નાખી હતી.

ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો
કોહલી માટે 13 નંબર 'અશુભ'? ફાઈનલમાં 12 વખતનું પરાક્રમ કરવાની 'છેલ્લી તક'

સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ થયા હતા

સુખદેવ સિંહ ઘરે હાજર હતા ત્યારે ત્રણ બદમાશોએ આ ગુનો કર્યો હતો હતો. આરોપીઓ અચાનક આવ્યા અને તરત જ સુખદેવને નિશાન બનાવ્યા હતા અને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. આ બદમાશોમાંથી એકનું નામ નવીન શેખાવત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રોસ ફાયરિંગમાં તેને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સુખદેવ સિંહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા. તેઓ અગાઉ કરણી સેના સાથે લાંબા સમય સુધી જોડાયેલા હતા, પરંતુ બાદમાં મતભેદોને કારણે તેમણે પોતાનું અલગ સંગઠન બનાવ્યું હતું, જેનું નામ તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાખ્યું હતું.

આ પણ વાંચો: ગોગામેડી હત્યાકાંડ: પોલીસને મળી મોટી સફળતા, ચંદીગઢમાંથી બે શૂટર સહિત ત્રણ આરોપીની ધરપકડ

 

Published On - 9:38 am, Sun, 10 December 23

Next Article