Atiq Ahmed : ગણતરીની સેકન્ડમાં જ માફિયા બ્રધર્સનો ખેલ ખતમ !, શું હતો અતીકની હત્યાનો મોટિવ, કોણ કરાવી શકે છે હત્યા, સમજો આ 5 પોઈન્ટથી

અતીક અને તેના ભાઈ અશરફની હત્યાના કારણો અંગે તરેહ તરેહની વાત ચાલી રહી છે. પ્રયાગરાજ પોલીસે અતીક અને અશરફની હત્યા કરનાર આરોપીને પકડી પાડીને ગઈ રાત્રથી પુછપરછ કરી રહી છે. જેમાં આ બન્નેની હત્યા કરવા અંગે કેટલાક સવાલો સર્જાયા છે. આ તમામ સવાલોના જવાબ જાણવા વાંચો આ વિશેષ સમાચાર.

Atiq Ahmed : ગણતરીની સેકન્ડમાં જ માફિયા બ્રધર્સનો ખેલ ખતમ !, શું હતો અતીકની હત્યાનો મોટિવ, કોણ કરાવી શકે છે હત્યા, સમજો આ 5 પોઈન્ટથી
Atiq ahmad, Ashraf ahmad Murder
| Edited By: | Updated on: Apr 16, 2023 | 12:03 PM

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં મીડિયા પર્સન્સ તરીકે દર્શાવતા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. માફિયા અતીક અને અશરફને અહીં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ બંને પાસેથી પ્રયાગરાજના કસારી-મસારીમાંથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા હતા. પોલીસની ગાડીમાંથી નીચે ઉતર્યા બાદ હુમલાખોરોએ 22 સેકન્ડમાં બંનેનો ખેલ ખતમ કરી દીધો અને આ સાથે અતીક જે રહસ્ય પોલીસને જણાવવાનો હતો તે દફનાવી દેવામાં આવ્યો છે.

અતીક અને અશરફની હત્યા બાદ યુપીમાં કલમ 144 લાગુ છે, ક્યાંક પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે તો ક્યાંક ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે હુમલાખોરોનો ઈરાદો શું હતો કેમ તેમણે અતીક અહેમદની કરી હત્યા. શું આ હુમલાખોરો માત્ર પ્રસિદ્ધિ મેળવવા કે અતીકથી મોટા માફિયા બનવા માટે આટલું મોટું જોખમ લેવા આવ્યા હતા કે પછી કોઈ બીજી વાત છે.

1- એવુ કયું રહસ્ય અતીક પોલીસને કહેવા જઈ રહ્યો હતો?

અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ 13 થી 17 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડમાં હતા. બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ પૂછપરછની ગંભીરતાની વાત કરીએ તો અતીકને તેના પુત્ર અસદના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવા દેવામાં આવ્યો ન હતો. ત્યારે પોલીસે આતિકની લગભગ 23 કલાક સુધી પૂછપરછ કરી હતી અને આ દરમિયાન તેને 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઉમેશ પાલ હત્યા કેસથી લઈને પાકિસ્તાનથી હથિયારો મેળવવા સુધી, અતીકે અનેક ગુનાઓ કબૂલ્યા હતા.

પોલીસે તે ચેનલ શોધવાનો પ્રયાસ કર્યો હતો જેના દ્વારા હથિયારો પાકિસ્તાનથી પંજાબ અને ત્યાંથી અલ્હાબાદ આવતા હતા. એ જ રીતે ઉમેશ પાલ હત્યા કેસમાં આખું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું અને તેમાં કોણ કોણ સામેલ હતા તેમજ આ કેસમાં પાકિસ્તાન સાથે સબંધ અને આ સિવાય પણ આવા ઘણા રહસ્યો હતા જેના વિશે પોલીસ આતીક પાસેથી જાણવા માંગતી હતી. એવું બની શક્યું હોત કે 17 એપ્રિલ સુધીની પૂછપરછમાં પોલીસને વધુ મહત્વના રહસ્યો જાણવા મળ્યા હોત, પરંતુ તે પહેલા જ અતીક અને અશરફની હત્યા થઈ ગઈ હતી.

2- શું ડી કંપનીએ કરાવી અતીકની હત્યા?

પોલીસની પૂછપરછમાં અતીક અહેમદે કબૂલ્યું હતું કે આ હથિયારો પાકિસ્તાનથી આવતા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે પુષ્ટિ કરી હતી કે હથિયારો ડ્રોનની મદદથી પાકિસ્તાનથી સરહદ પાર કરવા માટે વપરાતા હતા અને ત્યારબાદ તેને પંજાબના એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા, ATSએ આતિકનો લશ્કર સાથે સંપર્ક કર્યો હતો, કાશ્મીર ખીણમાં હથિયારોના સપ્લાયને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. .

સ્વાભાવિક છે કે આ સમગ્ર કામમાં માત્ર અતીકની ગેંગ સામેલ ન હોઈ શકે. ડી કંપની કે પંજાબની કોઈ મોટી ગેંગની મિલીભગત વિના આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તેમ ન હતુ. પોલીસ તપાસ ચાલી રહી હતી, ત્યારે આવી સ્થિતિમાં શું શક્ય છે કે આ ડી કંપનીએ જ અતીક અને અશરફ તેમના રાઝ ના ખોલે તે માટે ખતમ કરાવી દીધા હોય.

3- શું હુમલાખોરોની કોઈ જાની દુશ્મની હતી અતીક સાથે ?

અતીક અહેમદના ઘણા જાણીતા દુશ્મનો હતા, કારણ કે ગુનાખોરીની દુનિયામાં તે ગયો ત્યારથી અત્યાર સુધી અતીક પર લોકોની હત્યાનો આરોપ હતો. તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આવા સંજોગોમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની સાથે મળીને હત્યા કરીને કોઈએ બદલો લીધો છે કે કેમ તે મોટો પ્રશ્ન છે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના ત્રણ દિવસ પહેલા હુમલાખોરોએ રેકી કરી હતી, તેઓ મીડિયા તરીકે ડમી કેમેરા લાવ્યા હતા. માત્ર 3 દિવસ રેકી કરવાનો અર્થ એ છે કે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

4- શું મુન્ના બજરંગીની જેમ અતીકને પતાવવામાં આવ્યો ?

2018માં બાગપત જેલમાં બંધ મુન્ના બજરંગીની જેલની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુન્ના બજરંગી પૂર્વાંચલનો ડોન હતો જેને માર્યાના એક દિવસ પહેલા બાગપત જેલમાં ખસેડવામાં આવ્યો હતો. 9મી જુલાઈએ સવારે 9 વાગ્યાથી તનહાઈ બેરેકમાં ગયા બાદ શાર્પ શૂટર સુનિલ રાઠીએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. આજદિન સુધી એ જાણી શકાયું નથી કે પિસ્તોલ જેલની અંદર કેવી રીતે પહોંચી. બાદમાં સુનીલ રાઠીએ એટલું જ કહ્યું હતું કે મુન્ના બજરંગીએ તેને ચીડવ્યો હતો, તેથી જ તેણે ગુસ્સામાં તેને મારી નાખ્યો હતો. આ મામલે સીબીઆઈ તપાસની પણ ભલામણ કરવામાં આવી હતી.

5- નામ કમાવવા કે અતીકથી મોટા માફિયા બનવા કરી હત્યા ?

અતીક અહેમદની હત્યા કરનારાઓના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે. તેમાંથી લવલેશ બાંદાનો, સની કાસગંજનો અને અરુણ હમીરપુરનો છે. ત્રણેયએ અતીકની હત્યા પાછળનો હેતુ પ્રસિદ્ધિ મેળવવાનો હોવાનું હાલ જણાવ્યું છે. જો કે પોલીસ આ મામલે વધુ પુછતાછ કરી રહી છે જે બાદ જ જાણી શકાશે કે અતીકને મારવાનું શું કારણ હતુ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય હુમલાખોરોએ કબૂલાત કરી છે કે તેઓ મોટા શાર્પ શૂટર બનવા માંગતા હતા. અતીક અહેમદ એક મોટો માફિયા છે, આથી મોટા માફિયાને મારીને તે લોકોમાં તેમનો ખોફ ફેલાવવા માંગતા હતા. પરંતુ એક સત્ય એ પણ છે કે હત્યા બાદ તેઓ એ જાતે જ કેમ સરેન્ડર કરી દીધુ જો કે કોઈની હત્યા બાદ તે માત્ર જેલમાં જ આ જીવન રહેવાના હતા તો તેઓ ક્યાં ખોફ ફેલાવવા માંગતા હતા જેને લઈને હજુ પણ કેટલા તથ્યો ઘુંચવાય રહ્યા છે. જો કે પોલીસ પણ ખુદ તેમણે કહેલી થિયરી પર વિશ્વાસ કરવામાં અસમર્થ છે.

Published On - 11:27 am, Sun, 16 April 23

Follow Us