Terrorist Attack: PM મોદીએ શ્રીનગરમાં આતંકવાદી હુમલાની માંગી માહિતી, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ પણ હુમલાની નિંદા કરી છે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.

Terrorist Attack: PM મોદીએ શ્રીનગરમાં આતંકવાદી હુમલાની માંગી માહિતી, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
PM Narendra Modi
| Edited By: | Updated on: Dec 13, 2021 | 10:35 PM

Terrorist Attack: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના શ્રીનગર (Srinagar)માં ફરી એકવાર આતંકવાદી ઘટના સામે આવી છે. જેમાં સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન (9th Battalion of the Armed Police) પર બસને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે, જ્યારે 12 ઘાયલ થયા છે. ઘાયલ જવાનોમાંથી 2ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

 

 

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આ હુમલા અંગે માહિતી માંગી છે. PMO તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા (Terrorist Attack) અંગે માહિતી માંગી છે અને હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

 

 

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Jammu and Kashmir’s Lieutenant Governor Manoj Sinha)એ પણ હુમલાની નિંદા કરી છે. શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પરના કાયર આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા બહાદુર શહીદ પોલીસ કર્મચારીઓને મારી શ્રદ્ધાંજલિ. ગુનેગારોને સજા મળે તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના.”

 

 

આ સાથે તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને ઘાયલોને તમામ સંભવિત સારવાર આપવા માટે સૂચના આપવામાં આવી છે. હું તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આપણી પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદની દુષ્ટ શક્તિઓને બેઅસર કરવા પ્રતિબદ્ધ છે.

 

 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ પણ હુમલાની નિંદા કરી છે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટ કર્યું, શ્રીનગર આતંકી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ. આખો દેશ એક અવાજે કાયર આતંકવાદી ષડયંત્રની નિંદા કરે છે. હું ઘાયલ જવાનોના સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”

 

 

 

આ પણ વાંચો: OMG! વિશ્વનો પ્રથમ પુરુષ કે જેણે ફિટ કરાવ્યુ અન્ય પુરુષનું ‘પ્રાઈવેટ પાર્ટ’, વર્ષો બાદ ‘આનંદ’ માણ્યાનો દુનિયા સમક્ષ શેર કર્યો અનુભવ

 

આ પણ વાંચો: વસીમ રિઝવી બાદ ફિલ્મ નિર્માતા અલી અકબરે છોડ્યો ઇસ્લામ … જાણો શું છે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા