Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે

|

May 02, 2021 | 5:28 PM

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે.

Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે

Follow us on

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે તેને 35થી 40 સીટોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે AIADMK અને BJPના ગઠબંધનને 100 સીટોનો આંકડો સ્પર્શવામાં મુશ્કેલી નજરે પડી રહી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં અહીં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. ઈ પલાનીસામીની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. પલાનીસામીની પાર્ટી AIADMK અત્યાર સુધીના રુઝાનોમાં બહુમતીના આંકડોઓથી ઘણી પાછળ જોવા મળી રહી છે. જો AIADMKની હાર થાય છે તો તેની નેગેટિવ અસર પાર્ટીના ભવિષ્ય પર પડે તેવી શકયતા છે. પાર્ટીમાં ફરીથી ફૂટ પડે તેવી શકયતા છે. જયલલિતા પછીથી જ AIADMKમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. આ વખતે AIADMK અને BJP મળીને ચૂંટણીના મેદાનમાં હતા.

જયલલિતાની ખૂબ જ નજીકની ગણાતી શશિકલાને પાર્ટીના સિનિયર નેતાઓએ મુખ્યમંત્રી બનાવવાથી ઈન્કાર કર્યો તો તેના ભત્રીજા ટીટીવી દિનાકરને પોતાની અલગ પાર્ટી AMMK બનાવી લીધી. આ રીતે સરકારમાં ડેપ્યુટી CM રહેલા પનીરસેલ્વમ પણ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. હવે આ વખતે ચૂંટણી હાર્યા પછીથી ફરીથી પાર્ટીમાં ફૂટ પડી શકે છે. બીજી તરફ DMK અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવાનુ લગભગ નક્કી જ છે. DMKના એમ કે સ્ટાલિન પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

તમિલનાડુમાં અનેક દાયકાઓ પછી પ્રથમવાર કરૂણાનિધિ અને જયલલિલતાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાઈ. એવામાં DMKના આ દેખાવથી સ્ટાલિન આ બે દિગ્ગજો પછી રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થઈ જશે. DMKના એમ.કે.સ્ટાલિન અને AIADMKના ટીટીવી દીનાકરન રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા હતા.

2016માં બીજીવાર સીએમ બન્યા હતા જયલલિતા
234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભામાં 2016માં AIADMKએ 134 સીટો પર જીત મેળવી હતી. તેના પછી જયલલિતા સતત બીજીવાર સીએમની ખુરશી પર બેઠા. ગત ચૂંટણીમાં કરૂણાનિધિની આગેવાનીમાં રહેલી ડીએમકેના ખાતામાં 98 સીટો આવી હતી.

પલાનીસ્વામી પાસે AIADMKની કમાન
5 ડિસેમ્બર, 2016ના રોજ જયલલિતાના નિધન પછી ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર 73 દિવસ જ ખુરશી પર રહી શક્યા. 16 ડિસેમ્બર, 2017ના રોજ ઈ. પલાનીસ્વામી રાજ્યના સીએમ બન્યા. તેના પછીથી જ AIADMKની કમાન પલાનીસ્વામીના હાથમાં છે.

 

Published On - 2:34 pm, Sun, 2 May 21

Next Article