સમગ્ર દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં પણ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદ ખાતે યોજવામાં આવી હતી. આ ઉજવણી કોરોનાના નિયમોના પાલન સાથે યોજાઈ. કોરોનાના કારણે આમંત્રિત લોકો પણ ઓછા હતા. તેમ છતાં ઉત્સાહમાં સહેજ ઘટાડો નહોતો. આ ઉજવણીમાં સૈન્ય જવાનોની પરેડે શાનમાં વધારો કર્યો. ભારતીય સેનાના જવાનોએ લોકોમાં પણ જોશ અને ઉત્સાહ ભર્યો હતો.
આ પરેડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આચાર્ય દેવવ્રતે સૈન્યની સલામી ઝીલી હતી. પરેડમાં સૈન્ય બળનું પ્રદર્શન યોજાયું હતું.
Published On - 9:57 am, Tue, 26 January 21