‘ઘર-ઘર ફોજી’ : આ ગામમાં જે ઘરનો દરવાજો ખખડાવશો, ત્યાંથી નિકળશે એક સૈનિક, ક્યાંક તો આખો પરિવાર છે સેનામાં, મા ભોમ માટે 117 દીકરાઓ આપી ચુક્યા છે બલિદાન

|

Jan 25, 2019 | 11:25 AM

પશ્ચિમી ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં તેમના ઘર-ઘર ફોજી મળી જશે. આ ગામના 90 ટકા ઘરોમાંથી કોઈ ન કોઈ સપૂત સેનામાં રહી દેશની સેવા કરી રહ્યો છે. આ ગામના 117 સપૂતો અત્યાર સુધી જામ-એ-શહાદત પી ચુક્યા છે, જ્યારે ગામના નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીની અંદર દેશ ભક્તિનો જોમ જોવા મળે […]

‘ઘર-ઘર ફોજી’ : આ ગામમાં જે ઘરનો દરવાજો ખખડાવશો, ત્યાંથી નિકળશે એક સૈનિક, ક્યાંક તો આખો પરિવાર છે સેનામાં, મા ભોમ માટે 117 દીકરાઓ આપી ચુક્યા છે બલિદાન

Follow us on

પશ્ચિમી ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં તેમના ઘર-ઘર ફોજી મળી જશે.

આ ગામના 90 ટકા ઘરોમાંથી કોઈ ન કોઈ સપૂત સેનામાં રહી દેશની સેવા કરી રહ્યો છે. આ ગામના 117 સપૂતો અત્યાર સુધી જામ-એ-શહાદત પી ચુક્યા છે, જ્યારે ગામના નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીની અંદર દેશ ભક્તિનો જોમ જોવા મળે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બુલંદરશહેર જિલ્લા મથકથી 40 કિલોમીટર દૂર બીબીનગર વિસ્તાર પાસે આવેલ આ ગામનું નામ છે સૈદપુર.

દેશ જ્યારે શનિવારે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સૈદપુર ગામની દેશભક્તિને સલામ કરવી ઘટે.

સૈદપુર ગામની વસતી લગભગ 25-30 હજારની છે. જૂના ફોજીઓ જણાવે છે કે સૈદપુર બટાલિયન આર્મીમાં ખૂબ પ્રસિદ્ધ છે. ગામમાં ઘણા બધા શહીદોની મૂર્તિઓ લાગેલી છે. એક સ્થાનિક નિવાસી કહે છે કે આ ગામના દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ફોજમાં છે. કેટલાક ઘરોમાં તો તમામ સભ્યો સેનામાં છે. મોટી સંખ્યામાં છોકરીઓ પણ આર્મીનો ભાગ છે.

વિશ્વ યુદ્ધમાં લીધો હતો ભાગ

સૈદપુર ગામમાં શૌર્ય, સાહસ અને માતૃભૂમિ માટે પ્રાણની આહૂતિ આપી દેવાની પરંપરા જૂની છે. એટલા માટે જ અહીંનો દરેક પરિવાર ફોજી પરિવાર છે. વાત બ્રિટિશ કાળની કરીએ, તો 1914માં વિશ્વ યુદ્ધ દરમિયાન સૈદપુરના 155 સૈનિકો જર્મની ગયા હતાં. તેમાંથી 29 જવાનો શહીદ થઈ ગયા હતાં અને લગભગ 100 જવાનો ત્યાં જ વસી ગયા હતાં. જે જગ્યાએ આ લોકો રહેવા લાગ્યે, તે જગ્યાનું નામ જાટલૅંડ રાખી દેવામાં આવ્યું. સૈદપુરમાં સિરોહી અને અહલાવટ જાટ રહે છે. સેના આ ગામ માટે સ્પેશિયલ ભરતીનું પણ આયોજન કરે છે.

દરેક યુદ્ધમાં નિશાન

1962નું યુદ્ધ હોય કે 1971નું કે પછી કારગિલ યુદ્ધ હોય. દરેક યુદ્ધમાં સૈદપુરની વીરતાના કિસ્સા પ્રસરેલા છે. 65ના યુદ્ધમાં કૅપ્ટન સુખબીર સિરોહી વીરગતિને પ્રાપ્ત થયાં, તો પોતે ઇંદિરા ગાંધી તેમનું અસ્થિ કળશ લઈ સૈદપુર ગામ પહોંચ્યા હતાં. સુખબીર સિંહ સિરોહીને પરમવીર ચક્ર મળ્યો હતો. 1971ના યુદ્ધમાં એક જ દિવસે ગામના વધુ બે સિરોહીઓએ શહાદત વહોરી હતી. આ ઉપરાંત સૈદપુરના આંચળમાં શૌર્ય તથા સાહસ માટે દેશ-પ્રદેશમાંથી મળેલા ડઝનો મેડલ્સ છે.

[yop_poll id=803]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article