અયોધ્યામાં રામમદિરના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેનાર આમંત્રિતોને કાયમી સ્મૃતિભેટ તરીકે ચાંદીની મુદ્રા આપવામાં આવશે. રામમંદિરના ભૂમિપૂજનની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનનારા મહાનુભવોને, શ્રી રામમંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી કાયમી સ્મૃતિ ચિન્હ તરીકે ચાંદીની મુદ્દા આપવામાં આવશે. ચાંદીની મુદ્રામાં રામ, લક્ષ્મણ, સિતામાતા ઉપરાંત હનુમાનજી અંકિત કરેલ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિરની ભૂમિપૂજન વિધી સંપન્ન કરાશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા 175 લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી ઐતિહાસિક ઘડીના સાક્ષી બનનારા મહાનુભવોને કાયમી સ્મૃતિ ચિન્હ અર્પણ કરાશે.