Bhavyata Gadkari | Edited By: Utpal Patel
Jun 01, 2021 | 5:31 PM
અર્થતંત્રના લોહી સમાન વેપાર- રોજગારને ધબકતું રાખવું જરૂરી છે. તેના માટે Ease of Doing Business પોલિસી તૈયાર કરાઈ છે. પીએમ મોદીની Ease of Doing Business પોલિસી થકી ધંધા-રોજગારને એક નવી જ દિશા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકોના જીવનને Ease of living દ્વારા વધુ સરળ બનાવ્યું. Ease of livingથી પીએમ મોદીએ આઇટી રિફંડ, પાસપોર્ટ, ડિઝિટલ પેમેન્ટની કાર્ય પધ્ધતિને વધુ સરળ અને લોકઉપયોગી બનાવી.
જે ભ્રષ્ટાચાર નાબુદીના મંત્ર સાથે સરકારે સ્થાન મેળવ્યું હતું. તેને સાર્થક કરી બતાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદીની પહેલ કરી, સાત વર્ષના સમયગાળામાં, ભ્રષ્ટાચારને જડમૂળથી સમાપ્ત કરવા અનેક પગલાં ભર્યા.
આજના યુવાઓ આવતીકાલનું ભવિષ્ય છે. એ સૂત્રને સાર્થક કરવા માટે મોદી સરકારે યુવાઓ માટે અનેક પગલાઓ લીધા. શિક્ષણ, રોજગાર, રમતજગત, એન્ટરપ્રેન્યોરશીપ જેવા પગલાઓથી સરકારે યુવાઓને તેમના સ્વપ્ન સાકાર કરવાની તક પૂરી પાડી.
લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે પણ અનેક યોજનાઓની શરુઆત કરવામાં આવી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત સ્વાસ્થ્ય માટે પણ અનેક પગલા 7 વર્ષ દરમિયાન લેવાયા.
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થવો પણ ખૂબ જ જરુરી છે. ત્યારે મોદી સરકાર દ્વારા રોડ, હાઇવે, બ્રિજ જેવા અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાત વર્ષ દરમિયાન ઉભા કરાયા.
મિડલ ક્લાસને ભારતનું એન્જિન માનવામાં આવે છે. ત્યારે મિડલ ક્લાસ માટે પણ મોદી સરકારે સાત વર્ષ દરમિયાન અનેક કાર્યો કર્યા. ટેક્સ, મોંઘવારી, હેલ્થ સેક્ટર સહિત અનેક સેક્ટર પર મોદી સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું. જેથી કરી મિડલ ક્લાસને પણ મોબિલિટી મળી શકે.
મોદી સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે પણ સાત વર્ષ દરમિયાન અનેક કાર્ય કરવામાં આવ્યા. મહિલાઓનો તમામ ક્ષેત્રે વિકાસ થઇ શકે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી તેમજ પોલિસી ઘડવામાં આવી.
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતોનું કલ્યાણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે, માટે સિંચાઇથી લઇ ખેતીને લગતા અનેક ક્ષેત્રમાં મોદી સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
ફોરેન પોલિસી હોય કે નેશનલ સિક્યુરીટીનો મુદ્દો મોદી સરકારે India first દ્વારા આ ક્ષેત્રમાં પણ અનેક કાર્યો કર્યા.
ભારત એક વિવિધતાવાળો દેશ છે. ત્યારે નોર્થ ઇસ્ટ ક્ષેત્રના વિકાસ માટે પણ મોદી સરકાર દ્વારા અનેક પગલાઓ લેવાયા છે.
સામાજિક ક્ષેત્રે લોકોને સશક્ત કરવા માટે સોશિયલ એમ્પાવરમેન્ટ થકી મોદી સરકાર દ્વારા અનેક પગલા લેવાયા જેમાં, લઘુમતિ,આદિવાસી,દિવ્યાંગોને સામાજિક ક્ષેત્રે સશક્ત કરવા માટે પગલાં લેવાયા.
ગરીબો માટે પણ મોદી સરકાર સાત વર્ષમાં અનેક યોજનાઓ લાવી અનેક યોજનાઓ અને પોલિસી થકી ગરીબોના ઉત્થાન માટે પગલાં લેવાયા
દેશના વિકાસ માટે અર્થવ્યવસ્થા મજબૂત થવી ખૂબ જ જરુરી છે. માટે ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પણ મોદી સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા.
વિશ્વ જ્યારે મહામારીનો સામનો કરી રહ્યુ છે. ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે મહામારી દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર, વેક્સિન જેવી સુવિધાઓ થકી મોદી સરકાર મહામારી સામે લડવા પગલાં લઇ રહી છે.