સૌરવ ગાંગુલીનાં ઘરમાં કોરોનાની દસ્તક, ચાર સદસ્યને કોરોના પોઝીટીવ આવતા હોસ્પીટલમાં દાખલ કરાયા

|

Jun 20, 2020 | 10:58 AM

કોરોનાની મહામારીની ઝપટમાંથી ક્રિકેટર સૌરવ ગાંગુલીનો પરિવાર પણ બાકાત નથી રહ્યો. ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાલના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીનાં પરિવારમાંથી પોઝીટીવ હોવાની માહિતિ રાજયનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. એક ઉચ્ચ અધિકારી સાથે વાત થયા મુજબ બીસીસીઆઈ-BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનાં મોટા ભાઈ સ્નેહાશિષની પત્નીનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો તો એ […]

સૌરવ ગાંગુલીનાં ઘરમાં કોરોનાની દસ્તક, ચાર સદસ્યને કોરોના પોઝીટીવ આવતા હોસ્પીટલમાં દાખલ કરાયા

Follow us on

કોરોનાની મહામારીની ઝપટમાંથી ક્રિકેટર સૌરવ ગાંગુલીનો પરિવાર પણ બાકાત નથી રહ્યો. ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાલના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીનાં પરિવારમાંથી પોઝીટીવ હોવાની માહિતિ રાજયનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. એક ઉચ્ચ અધિકારી સાથે વાત થયા મુજબ બીસીસીઆઈ-BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનાં મોટા ભાઈ સ્નેહાશિષની પત્નીનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો તો એ સિવાય સ્નેહાશિષનાં સાસુ -સસરા પણ પોઝીટીવ મળી આવ્યા હતા. જેમને શહેરનાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. સારી વાત એ છે કે સૌરવ ગાંગુલી કોરોનાથી બચી ગયા છે. અધિકારીના જણાવ્યા મુજબ સ્નેહાશિષે પોતાનો રીપોર્ટ પણ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો, પરંતુ તેમને ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. ચારેય દર્દીઓને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન થતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે ફરીથી તેમના ટેસ્ટ કરવામાં આવશે અને યોગ્ય રહેશે તો રજા આપી દેવામાં આવશે.

Next Article