26 જાન્યુઆરીની પરેડમાં તામિલનાડુની ઝાંખી ફસાઈ ગઈ ‘બ્લાઉઝ’ વિવાદમાં !

|

Jan 27, 2019 | 11:44 AM

70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ઘણુ બધુ પહેલી વાર થયું. હજી ગૌરવપૂર્ણ પરેડની ઘુમારી ઉતરી પણ નહોતી કે વિવાદો સામે આવવા લાગ્યા છે. આ વખતે પરેડમાં 16 રાજ્યોની ઝાંખીઓ જોવા મળી, પરંતુ તામિલનાડુની ઝાંખી પર વિવાદ થઈ ગયો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે […]

26 જાન્યુઆરીની પરેડમાં તામિલનાડુની ઝાંખી ફસાઈ ગઈ ‘બ્લાઉઝ’ વિવાદમાં !

Follow us on

70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ઘણુ બધુ પહેલી વાર થયું.

હજી ગૌરવપૂર્ણ પરેડની ઘુમારી ઉતરી પણ નહોતી કે વિવાદો સામે આવવા લાગ્યા છે. આ વખતે પરેડમાં 16 રાજ્યોની ઝાંખીઓ જોવા મળી, પરંતુ તામિલનાડુની ઝાંખી પર વિવાદ થઈ ગયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હકીકતમાં તામિલનાડુની ઝાંખીમાં મહિલાઓને બ્લાઉઝ વગર માત્ર સાડીમાં દર્શાવવામાં આવી હતી. મહાત્મા ગાંધીની મદુરૈ યાત્રાને દર્શાવતી આ ઝાંખીમાં મહિલાઓ બ્લાઉઝ વગર માત્ર સાડીમાં દેખાતી હતી.

હકીકતમાં મહાત્મા ગાંધીએ 1921માં મદુરૈ યાત્રા કરી હતી અને ત્યાર બાદ પૂર્ણ વસ્ત્રોનો ત્યાગ કરી માત્ર ધોતી પહેરવાનો નિર્ણય કર્યો હતો. ગાંધીજીએ આવું દેશની મહિલાઓની અત્યંત ગરીબાઈ ભરેલી દશા જોઈને કરી હતી.

ઝાંખીને લઈને થયેલા વિવાદ પર ઇયક્કા તમિઝર પેરાવઈના મહામંત્રી સુબા વીરાપાંડિયને કહ્યું કે મદુરૈ યાત્રા બાદ ગાંધીજીએ માત્ર એક ધોતી પહેરવાનો નિર્ણય કર્યો. આ ગાંધી અને તામિલનાડુ માટે મહત્વની ઘટના હતી, પણ 1921માં મહિલાઓ આ પ્રકારના કપડાં પહેરતી નહોતી, જેવું કે ઝાંખીમાં દર્શાવાયું છે. ત્રાવણકોરની મહિલાઓ આ પ્રકારનો પહેરવેશ પહેરતી હતી, પરંતુ મહિલાઓના બ્લાઉઝ પહેરવા પર પ્રતિબંધને 19મી શતાબ્દીમાં જ સમાપ્ત કરી દેવાયો હતો.

વીરાપાંડિયને કહ્યું કે આવું નહોતું થવુ જોઇતું. તે પણ ત્યારે કે જ્યારે રાજપથ પર દેશના ગૌરવને આખી દુનિયા જોઈ રહી હતી. અસંગઠિત મજૂર સંઘના સલાહકાર આર ગીતાએ પણ કહ્યું કે વગર બ્લાઉઝની મહિલાઓને દર્શાવવાથી બચી શકાતુ હતું.

દરમિયાન રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે ઝાંખીનો ઉદ્દેશ ગાંધીજીની 150મી જન્મ જયંતી પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ દર્શાવવાનો હતો. અમને ઝાંખીથી સંબંધિત ઘણા કૉલ્સ મળ્યા છે. આ થીમ એટલા માટે પસંદ કરવામાં આવી, કારણ કે ઘણા બધા લોકોને ગાંધી અને તામિલનાડુના આ કનેક્શન વિશે જાણ નહીં હોય.

[yop_poll id=848]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article