મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે.
આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રેલવે કર્મચારીઓના 2 સંતાનોને ફ્રી યાત્રા પાસ આપવા માટેની વય મર્યાદા 21 વર્ષ હતી.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેના આદેશો પણ જારી કરી દિધા છે. રેલવે પ્રધાને તમામ મંડલ રેલ પ્રબંધકોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે.
રેલવે પ્રધાને ઑલ ઇંડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી.
નોંધનીય છે કે રેલવે કર્મચારીઓ આ વય મર્યાદા વધારવાની વર્ષોથી માંગણી કરી રહ્યા હતાં. રેલવે કર્મચારીઓનો તર્ક હતો કે તેમના સંતાનો 20 વર્ષના થયા બાદ જ વધુ યાત્રા કરે છે. તેથી ફ્રી પાસની વય મર્યાદા વધારવી જોઇએ.
રેલવે કર્મચારીઓનું કહેવું હતું કે 20 વર્ષની આયુ બાદ જ તેમના બાળકો બીજા શહેરો-રાજ્યોમાં અભ્યાસ માટે જાય છે.
નોંધનીય છે કે રેલવેની આ સ્કીમ તો દરેક રેલવે કર્મચારીના સંતાનો માટે છે, પરંતુ લગ્ન બાદ આ સ્કીમનો લાભ નથી મળતો. હા જેણે લગ્ન ન કર્યા હોય, તેઓ બેશક હવે 33 વર્ષ સુધી મફત રેલવે મુસાફરીનો લાભ મેળવી શકશે. તેમાં પણ એક શરત એ છે કે જો સંતાન સ્વાવલંબી એટલે કે કોઈ સરકારી નોકરી કરતું હોય, તો તેને પણ આ સ્કીમનો લાભ નથી મળતો.
[yop_poll id=804]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]