Rahul Gandhi Convicted: રાહુલ ગાંધીની સજા પર વિપક્ષો વિફર્યા, જાણો કોણે શું કહ્યું

|

Mar 23, 2023 | 2:30 PM

Rahul Gandhi Convicted: મહાત્મા ગાંધીને ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.

Rahul Gandhi Convicted: રાહુલ ગાંધીની સજા પર વિપક્ષો વિફર્યા, જાણો કોણે શું કહ્યું
Rahul Gandhi

Follow us on

ગુરુવારે સુરતની એક અદાલતે 2019માં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મોદી અટક અંગે કરેલી ટિપ્પણી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે આ કેસમાં તેને તરત જ જામીન મળી ગયા હતા. આ સાથે જ રાહુલ અને અન્ય વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહાત્મા ગાંધીને ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.

કાયદા અને ન્યાયમાં વિશ્વાસ રાખો, તે મુજબ લડીશું: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગેએ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને જામીન મળી ગયા છે. અમે શરૂઆતથી જ જાણીએ છીએ કે ન્યાયાધીશો બદલતા રહ્યા. અમે કાયદા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ કરીએ છીએ અને અમે કાયદા અનુસાર તેની સામે લડીશું.

ન્યાયતંત્ર દબાણ હેઠળ, રાહુલ હિંમતવાન માણસઃ અશોક ગેહલોત, રાજસ્થાનના સીએમ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, અમે કહી રહ્યા છીએ કે અમારી લોકશાહી ખતરામાં છે કારણ કે ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, ઇડી અને આ તમામનો દુરુપયોગ થઈ રહ્યો છે. તમામ નિર્ણયો અમલમાં લેવામાં આવે છે. આવી ટિપ્પણીઓ સામાન્ય છે..રાહુલ ગાંધી એક હિંમતવાન માણસ છે અને તેઓ જ NDA સરકાર સાથે સ્પર્ધા કરી શકે છે.

મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય થશે પણ નહીંઃ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ મહાસચિવ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વિટમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ડરી ગયેલી સત્તા, દામ, દંડ, ભેદ લગાવીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઇ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય થશે પણ નહિ. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહીશે. દેશના લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.

રાહુલ ગાંધી સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે: રેવન્ત રેડ્ડી, કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસના સાંસદ રેવંત રેડ્ડીએ કહ્યું કે, રાહુલ ગાંધી તાનાશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જે ખોટું છે તે ખોટું છે તે કહેવાની તેની હિંમત છે. અત્યાચારીઓ આ હિંમતથી ગભરાઈ જાય છે. અમે લડીશું અને જીતીશું.

કોર્ટનું સન્માન કરુ છું, પરંતુ ચુકાદા સાથે સહમત નથીઃ અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બિન-ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવી યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.

Next Article