Punjab Cabinet Expansion: આજે પંજાબ સરકારના નવા મંત્રી મંડળમાં શામેલ થશે 7 નવા ચહેરા, આ મંત્રીઓની બાદબાકી છે નક્કી

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ શનિવારે બપોરે આ સંદર્ભમાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચન્નીના નેતૃત્વવાળી કેબિનેટમાં સાત નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અપેક્ષા છે

Punjab Cabinet Expansion: આજે પંજાબ સરકારના નવા મંત્રી મંડળમાં શામેલ થશે 7 નવા ચહેરા, આ મંત્રીઓની બાદબાકી છે નક્કી
punjab cm charanjit singh channi (File Photo)
| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:00 AM

Punjab Cabinet Expansion: આજે પંજાબમાં કેબિનેટ વિસ્તરણ થશે. રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (CM Charanjeet Channi) એ જણાવ્યું હતું કે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ રવિવારે થશે. ચન્નીની આગેવાની હેઠળના નવા પંજાબ કેબિનેટમાં સાત નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

બીજી બાજુ, અમરિંદર સિંહના નેતૃત્વવાળી સરકારનો ભાગ રહેલા પાંચ મંત્રીઓને નવી સરકારમાંથી પડતા મૂકવામાં આવે તેવી ધારણા છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળવા માટે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ગઈકાલે રાજભવન પહોંચ્યા હતા. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાય તેવી શક્યતા છે.

પંજાબ કેબિનેટમાં સમાવિષ્ટ ધારાસભ્યોની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મંત્રીમંડળની રચનાના પડકારનો સામનો કરવા માટે, કોંગ્રેસ (congress) હાઇકમાન્ડ સાથે ચરણજીત સિંહ ચન્નીની બેઠક શુક્રવારે મોડી રાત સુધી દિલ્હીમાં યોજાઇ હતી, જેમાં મંત્રીઓના નામ પર મહોર લગાવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પંજાબ કેબિનેટને લીલી ઝંડી આપી દીધી છે.

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ શનિવારે બપોરે આ સંદર્ભમાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચન્નીના નેતૃત્વવાળી કેબિનેટમાં સાત નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અપેક્ષા છે. તે જ સમયે, અમરિંદર સિંહ સરકારમાં મંત્રી રહેલા પાંચ ધારાસભ્યોને બહાર કાવામાં આવે તેવી શક્યતા છે.

મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓના નામ પર મહોર લગાવી
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચન્નીના મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓના નામ મંજૂર કરવામાં આવ્યા છે. અમરિંદર સિંહના નજીકના ગણાતા મંત્રીઓને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૂત્રો દ્વારા શેર કરવામાં આવેલી યાદીમાં બ્રહ્મ મોહિન્દ્રા, રાણા ગુરજીત, મનપ્રીત બાદલ, ત્રિપત રાજિન્દર બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, અરુણા ચૌધરી, રઝિયા સુલ્તાના, ડો.રાજ કુમાર વેરકા, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દર સિંગલા, ગુરકીરત કોટલીના નામ સામેલ છે. .

અમરિંદર સિંહ કેબિનેટમાંથી કેટલાક મંત્રીઓને સ્થાન મળ્યું નથી
આ સિવાય રાજા અમરિન્દર વાડિંગ, સંગત સિંહ ગિલઝિયાન, કાકા રણદીપ સિંહ, પરગટ સિંહ, કુલજીત સિંહ નાગરા વગેરેના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મંત્રીમંડળમાં સમાવિષ્ટ બલબીર સિંહ સિદ્ધુ, રાણા ગુરમીત સોઢી, ગુરપ્રીત સિંહ કાંગાર, સાધુ સિંહ ધરમસોટ અને સુંદર શામ અરોરાને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

આ પણ વાંચો: ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં બેફામ પૈસા ઉડાવતા હોવાનો વિડીયો વાયરલ