કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર બાદ 14 ફેબ્રુઆરી 2019 ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPF ના 44 જવાનો શહીદ થયા છે જ્યારે 45 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે.
આ હુમલામાં આતંકવાદીઓ દ્વાર સુરક્ષા જવાનોની બે ગાડી પર નિશાનો બનાવવામાં આવ્યા છે. આ તરફ કેન્દ્રમાં મોદી સરકાર લાંબા સમયથી એવો દાવો કરી રહી છે કે તેના કાર્યકાળમાં આતંકી હુમલા ઓછા થયા છે ત્યારે છેલ્લા 5 વર્ષોમાં ગુરદાસપુર, ઉરી જેવા ઘણાં આતંકવાદી હુમલા દેશમાં થયા છે. તેના પર એક નજર નાખી જોઇએ.
ગુરદાસપુર : જુલાઈ -2015માં આતંકીઓએ પહેલાં એક યાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. જે પછી દીનાનગર પોલીસ સ્ટેશનમાં ઘુસી ત્રણ આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા.
પઠાણકોટ : જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ જાન્યુઆરી 2016માં પઠાણકોટના વાયુસેના બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 3 જવાનો સહિદ થયા હતા. જ્યારે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
કોકરઝાર : ઓગસ્ટ 2016માં અસમના કોકરાઝાર એક હુમલો થયો હતો જેમાં 14 નાગરિકોના મોત થયા હતા. જેને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો
ઉરી: દેશનો સૌથી મોટા સેના સ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલાં જવાનો શહીદ થયા હતા. જેમાં 4 આતંકવાદીઓને પર ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
અમરનાથ : જુલાઈ 2017માં જ્યારે અમરનાથ યાત્રાથી એક બસ પરત ફરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં 7 નાગરિકોના મોત થયા હતા.
[yop_poll id=1423]
Published On - 5:42 pm, Thu, 14 February 19