
ગુપ્તચર એજન્સીના ઇનપુટ અને સેનાના ઇન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફની સરહદ પર એર ડિફેન્સ યુનિટ્સને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાન તરફથી થતા હવાઇ હુમલાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
Post-Balakot strikes, Indian Army to move air defence units closer to Pakistan border#TV9News pic.twitter.com/sh2l3aRtu5
— Tv9 Gujarati (@tv9gujarati) May 15, 2019
આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ કરવામાં સક્ષમ છે. ભારતીય આર્મીના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની બોર્ડરની ઘેરાબંદી કરવા અનેક સૈન્ય ટુકડી અને એક ડિફેન્સ યુનિટને તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો: સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ
જાણકારી પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઇ જવાથી દુશ્મન તરફથી થતા કોઇપણ હવાઇ હુમલાને રોકી શકાશે. આ ડિફેન્સ સિસ્ટમ જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન નજીક પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. જે આર્મી માટે સુરક્ષા ચક્ર તરીકે કામ કરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]