PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે

|

May 26, 2021 | 1:17 PM

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Follow us on

વર્ષ 2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા (Life Insurance) યોજના છે, જે કોઈ પણ કારણોસર મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે. તેથી જો તમે તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

યોજનાનો હેતુ
આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષાનો છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના
1. આ યોજના એક વર્ષના જીવન વીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
2. આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇ પણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.
3. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. 330 જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

યોજના માટે યોગ્યતા
બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી 18 થી 50 વર્ષની વ્યક્તિ લાભ લઇ શકે છે. 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે 55 વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

યોજનાના ફાયદા
સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

કાર્ય પધ્ધતિ
ઉપરોક્ત યોજના નીચે રક્ષણના સમયગાળા માટે 1 લી જુનથી 31 મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે 31 મી મે સુધીમાં આપવાની રહેશે. જે પહેલા વર્ષને લાગુ પડશે નહી.

અમલીકરણ
જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.

દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Next Article