PM Modi Meeting with CMs over Covid-19: દેશમાં વધતા કોરોના વાયરસનાં કે વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશનાં રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે. જે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેના પર વડાપ્રધાન ફોકસ કરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 28903 કેસ આવ્યા છે જે ચિંતાજનક વાત છે.
PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન મોદીએ કોરોનાની નવી લહેરને રોકવાથી લઈને જુના નિયમોનાં કડક પાલન વિશે પણ તેમણે ભાર મુક્યો . વાંચો કયા ખાસ મુદ્દા પર તેમણે ભાર મુક્યો
વડાપ્રધાનની વાતનાં ખાસ મુદ્દા
કોરોનાની નવી લહેરને રોકવી પડશે
દેશના 70 જિલ્લામાં કોરોનાના કેસની 150 ટકાથી વધુ વૃદ્ધિ
મહામારીને અહીં જ રોકવાનો પડકાર
કોરોનાને ગામડામાં જતો રોકવાનો મોટો પડકાર
નાના શહેરોમાં ટેસ્ટીંગ વધારવું પડશે
રેફરલ સિસ્ટમ અને એમ્બ્યુલન્સ પર ધ્યાન આપવું જરૂરી
કોરોનાની સેકન્ડ પીકને તુરંત રોકવી પડશે
માસ્ક અંગે સ્થાનિક તંત્ર દ્વારા ગંભીરતા નથી પળાતી
કેટલાક વિસ્તારોમાં ટેસ્ટીંગ ઓછું કેમ થાય છે ?
માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન રચવામાં ઢીલાશ ન કરવામાં આવે
સાવધ રહેવું પડશે, ડર ફેલાવવાની જરૂર નથી
RTPCR ટેસ્ટ 70 ટકા રાખવો જરૂરી
ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં સંક્રમણ વધી રહ્યું છે
રાજ્યો વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગની માહિતીની આપ-લે થાય તે જરૂરી
કેરલ, આંધ્ર પ્રદેશ, યુપીમાં રસીનો બગાડ થાય છે
રસીનો બગાડ ન થાય તેનું રોજ મોનિટરિંગ જરૂરી
નવા કેસની જલ્દી થાય તે માટે RTPCR ટેસ્ટ જરૂરી
રસીકરણ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવી જરૂરી
કોરોનાની જાળમાંથી જલ્દી બહાર નીકળવું જરૂરી
રસીની એક્સપાયરી ડેટનું ખાસ ઘ્યાન રાખો
PM Modi Meeting with CMs over Covid-19: કોરોના માટેના જુના નિયમોનું પાલન જરૂરી, વેક્સીનની બરબાદી રોકવી જરૂરી હોવાનું સુચન પણ તેમણે કર્યું હતું . તેમણે જણાવ્યું કે હવે બચાવ માટે દવાઈ ભી ઔર કડાઈ ભી જરૂરી.
PM Modi Meeting with CMs over Covid-19: તેમણે રસીકરણ મુદ્દે જણાવ્યું કે વેક્સીન લીધા બાદ કોરોનાનાં નિયમોનું પાલન કરવાનું રહેશે , તેલંગાણા અને આંધ્રમાં રસીનો બગાડ થઈ રહ્યો છે. જુના નિયમોનું પાલન કરવાની જરૂર છે અને પુરી કડકાઈથી કોરોનાની નવી લહેરને રોકવાની જરૂર છે.
PM Modi Meeting with CMs over Covid-19: મુખ્યપ્રધાનો સાથેની વાતચીતમાં મોદીએ જણાવ્યું કે વિદેશથી આવનારા લોકોની સંખ્યા વધી છે. રાજ્યો એ સુચના બહાર પાડવાની જરૂર છે. ઘમા રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાનાં કેસ વધ્યા છે. અગર સાવધાની રાખવામાં નહી આવે તો દેશવ્યાપી કોરોનાનાં કેસ ફાટી નિકળી શકે છે.
PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાને ખાસ અનુરોધ કર્યો કે કન્ટેન્મેન્ટ અને સર્વેલન્સ ખાસ રાખવાની જરૂર છે. કોરોનાની નવી લહેર જે આવી રહી છે તેને રોકવી જરૂરી છે. ટેસ્ટ અને ટ્રેક એન્ડ ટ્રીટ પર વજન આપવાની જરૂર છે.
PM Modi Meeting with CMs over Covid-19: તેમણે જણાવ્યું કે દેશમાં રસીકરણ સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. માસ્ક નહી પહેરવું એ મોટી લાપરવાહી છે. કોરોનાની નવી લહેરની રોકવી જરૂરી છે.
PM Modi Meeting with CMs over Covid-19: રાજ્યનાં મુખ્યપ્રધાનો સાતેની વાતમાં વડાપ્રધાને કહ્યું કે ભારતે કોરોનાનો મુકાબલો મજબુતાઈથી કર્યો છે અને અત્યાર સુધીમાં 96% લોકો રીકવર પણ થયા છે.
PM Modi Meeting with CMs over Covid-19: વેક્સીનેશનને લઈે વિવિધ રાજ્યનાં મુખ્યપ્રધાન દ્વારા પ્રેઝનટેશન બનાવવામાં આવ્યું હતું જેમાં Gujarat, MP, Rajasthanનાં પ્રેઝનટેશનનાં PM એ વખાણ કર્યા હતા.
PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન મોદી દ્વારા દેશનાં રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે કોરોનાને લઈ ચર્ચા કરી રહ્યા છે. તેમણે કોરોના પર એક્શન પ્લાનને લઈને પણ વાત કરી છે, સાથે જ વેક્સીનેશન કઈ રીતે વધારી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી છે.
PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન સાતેની આ બેઠકમાં મમતા બેનર્જી પણ ભાગ નથી લઈ રહ્યા. અગાઉથી યોજાયેલી ચૂંટણી સભાને સંબોધવાની હોવાને લઈને તે આ બેઠકમાં હાજર નહી રહી શકેની વિગતો સામે આવી રહી છે.
West Bengal CM Mamata Banerjee (in file photo) to skip the meeting of all Chief Ministers with PM Modi today as she has pre-scheduled election meetings: TMC Sources
PM Modi’s meeting with CMs has been called over growing cases of #COVID19 and the ongoing vaccination drive. pic.twitter.com/8YSEmJ7IZ7
— ANI (@ANI) March 17, 2021
PM Modi Meeting with CMs over Covid-19: કોરોના પરની આ બેઠકમાં છત્તીસગઢનાં મુખ્યપ્રધાન ભુપેશ બુધેલ નહી આપે હાજરી. તેમની ગેરહાજરીને લઈને કોઈ કારણ હજુ સામે નથી આવ્યું.
Published On - 2:24 pm, Wed, 17 March 21