એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી […]

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ
| Updated on: May 20, 2019 | 11:53 AM

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી મુલાકાત હશે.

આ પણ વાંચોઃ સુરતમાં ગાંધીના હત્યારા ગોડ્સેના 109મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદોના વંટોળ

એગ્ઝિટ પોલના આંકડાઓ બાદ RSSમાં હલચલ જોવા મળી રહી છે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોષી નીતિન ગડકરીના ઘરે પહોંચ્યા. તેમની સાથે ભાજપના પશ્ચિમ બંગાળના ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ હાજર રહ્યા. એગ્ઝિટ પોલ પર ત્રણે નેતાઓની બેઠક થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે બેઠક પૂર્ણ થયા બાદ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે તેમની બેઠક રાજકિય નહોતી.

TV9 Gujarati

તેમણે સામાજીક અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપમાં નેતૃત્વ પરિવર્તન જે વાતો ચાલી રહી છે, તે માત્ર અને માત્ર અફવા છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન પદ પર કાયમ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:37 am, Mon, 20 May 19

Follow Us