
PM મોદી એક તરફ વારાણસીના ઉમેદવાર પણ છે તો બીજી તરફ તેઓ સાધના માટે કેદારનાથ પહોંચ્યા છે. પરંતુ તેમની કેદારનાથ યાત્રા કંઈક ખાસ જ બની ગઈ છે. પોતાની ધાર્મિક વિધિ પૂરી કર્યા બાદ જ્યારે PM મોદી પત્રકારો પાસે પહોંચ્યા તો અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા. તેમાં એક પત્રકારે મોદીજીને જે પૂછ્યું તેનો જવાબ મોદીજીએ પણ કંઈક આપ્યો હતો.
Tv9 Education Expo 2019
આશરે 17 કલાક ગુફામાં સાધના કર્યા બાદ રવિવારની સવારે કેદારનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. જે અગાઉ એટલે શનિવારે બપોરે 2 વાગ્યાથી તેઓ ગુફામાં સાધના કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાત્રીના સમયે આરામ પણ કર્યો હતો. સવારે ગુફામાંથી બહાર નીકળ્યા બાદ PM મોદી પહાડી રસ્તાના માધ્યમથી મંદિર પહોંચ્યા હતા.
મીડિયા સાથે વાતચીત કરતા સમયે એક પત્રકારે પૂછ્યું કે શું તમે સાધના સમયે ચૂંટણીમાં તમારી જીત થવાની છે એવી પ્રાર્થના કરી હતી. આ વાતનો જવાબ આપતા PM મોદીએ કહ્યું કે મેં કશું માગ્યું નથી. અને હું માગવાની પ્રવૃતિથી સહેમત પણ નથી. કારણ કે ભગવાને મને માગવા યોગ્ય નહીં પરંતુ આપવા યોગ્ય બનાવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]