શું ભારતનો વિરોધ કરનાર, નફરત કરનાર લોકોનો સાથ આપશે? શું આવા લોકો અસમનું ભલુ કરી શકે છે? શું આવા લોકો ઘુસણખોરોને રોકી શકે છે? વડાપ્રધાન મોદીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ ચોકીદારથી તમને પ્રેમ છે અને તેઓને ડર છે. કોંગ્રેસની પાસે એવા લોકોની ફોજ છે કે જેમને દેશને લુંટવાનુ કામ કર્યુ છે. તેમને કહ્યું કે અસમના લોકોએ એક વડાપ્રધાનને તક આપી હતી, પરંતુ તે એવા હતા કે અસમના લોકોને યાદ પણ નથી.
વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે, 10 લાખ કિસાન પરિવારોને કિસાન સમ્માન નિધિની પહેલી રકમ મળી ગઈ છે અને બાકી રહેલા પરિવારોને જલ્દી જ મળી જશે. 11 એપ્રિલના રોજ તમારી પાસે ચોકીદારને મજબૂત કરીને દેશના દલાલો અને ઘુસણખોરોને સીધા કરવાનો અવસર છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં ‘મેં ભી ચોકીદાર’ ના નારા લગાવ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]