કેન્દ્ર સરકાર તરફથી દેશનાં આશરે 10 કરોડ ખેડુતોનાં ખાતામાં પીએમ ખેડુત સન્માન નિધિ સ્કીમ હેઠળ 2000 રૂપિયાની રકમ મોકલાઈ રહી છે. આ સ્કીમનાં લાભાર્થીઓમે મળવાવાળો આ છઠ્ઠો હપ્તો છે. આ વખતે સૌથી વધારે ખેડુતોનાં ખાતામાં આ રકમ જશે. કેન્દ્ર સરકારે આ સ્કીમ થી 14કરોડ ખેડુતોને જોડવાનો લક્ષ્ય રાખ્યો છે, એવામાં અગર આપ પણ આ સ્કીમ સાથે જોડાવવા માગો છો તો તેના માટે અરજી કરી શકો છો. જો કે તમારે એના માટે અમુક નિયમોને ધ્યાનામાં રાખવાની જરૂર છે.
અગર તમે ખેતી કરો છો અને જમીન તમારા પિતા કે દાદાનાં નામ પર છે તો તેમને આ સ્કીમનો લાભ નહી મળી શકે. એના માટે તમારે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે ખેતીની વારસાઈમાં તમારૂ નામ નોંધાવી દઈ શકો છો. કેમકે પીએમ ખેડૂત સન્માન નિધિ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી પરિવારની ભાષા નક્કી કરવામાં આવી છે જે મુજબ પતિ પત્ની અને તેના સગીર બાળકને જ પરિવાર માનવામાં આવશે. લગ્ન બાદ પણ તમે આ સ્કીમમાં જોડાવા માગો છો તો જમીન જસ્તાવોજોમાં તમારૂ નામ જોડી દેવું જરૂરી છે. અગર એક જ જમીનનાં અનેક માલિકો છે અને બધા અલગ અલગ પરિવાર છે તો બધાને જ આ સ્કીમનો લાભ મળશે. અગર તમારા પિતા કે દાદાનું નિધન થઈ ગયું છે અને જમીન તમારા નામ પર ટ્રાન્સફર નથી થઈ તો આ સ્કીમનો લાભ તમે નહી લઈ શકો, એટલે જ જરૂરી છે કે તમે જલ્દીથી નામ ટ્રાન્સફર કરાવી લો
જણાવી દઈએ કે આ સ્કીમનો લાભ લેવા માટે ખેડુતનાં નામ પર જમીન હોવી જરૂરી છે. અગર તમે કોઈની જમીન ભાગ પર લઈને ખેતી કરી રહ્યા છો તો તેમને આ સ્કીમનો લાભ નહી મળી શકે. ટૂંકમાં આ સ્કીમ માટે જમીન માલિક હોવું જરૂરી છે.