ઉન્નાવના રૌતાપુર ઘાટ નજીક રેતીમાંથી આ લાશ મળી આવી છે. રૌતાપુર, મિરઝાપુર, લંગાપુર, ભાટપુરવા, રાજેપુર, કણીકામાઉ, ફતેપુર સહિતના ડઝનથી વધુ ગામોના લોકો આ ઘાટ પર અંતિમ સંસ્કાર માટે આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ પર લાંબી લાઈન છે અને અંતિમ સંસ્કાર માટે ઉંચા ભાવ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં ગરીબ લોકો લાશને રેતીમાં દફનાવી દે છે.