PAK આતંકવાદી રિઝવાન અશરફનો કરાવશે નાર્કો ટેસ્ટ, નુપુર શર્માને મારવા આવ્યો હતો ભારત

|

Oct 09, 2022 | 9:05 PM

16 જુલાઈના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સે રિઝવાન અશરફને ભારત અને પાકિસ્તાનની શ્રી ગંગાનગર ઈન્ટરનેશનલ બોર્ડર પર પકડ્યો હતો. તેની પાસેથી બે ચાકુ સહિત અનેક વસ્તુઓ મળી આવી હતી.

PAK આતંકવાદી રિઝવાન અશરફનો કરાવશે નાર્કો ટેસ્ટ, નુપુર શર્માને મારવા આવ્યો હતો ભારત
ફાઈલ ફોટો

Follow us on

ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની (Nupur Sharma) હત્યા કરનાર પાકિસ્તાની આતંકવાદી રિઝવાન અશરફનો હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ એટલા માટે છે કારણ કે તે અધિકારીઓને સહકાર આપી રહ્યો નથી. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રિઝવાનને 10 થી 15 ઓક્ટોબર વચ્ચે ઉચ્ચ સુરક્ષા વચ્ચે નાર્કો ટેસ્ટ માટે ગુજરાતમાં લવાશે.

હાલમાં તે અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં બંધ છે. આ કેસની તપાસ કરી રહેલી એજન્સીઓ (IB, RAW અને મિલિટરી ઈન્ટેલિજન્સ) કહે છે કે, 22 વર્ષીય રિઝવાન ટેન્ડેડ આતંકવાદી છે. પૂછપરછ દરમિયાન તે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યો છે. એજન્સીઓએ રાજસ્થાનની શ્રી ગંગાનગર જિલ્લા અદાલત પાસે નાર્કો ટેસ્ટની મંજૂરી માંગી છે.

નૂપુર શર્માની હત્યા માટે પાર કરી હતી સરહદ

16 જુલાઈના રોજ, રિઝવાનને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારત અને પાકિસ્તાનની શ્રીગંગાનગર બોર્ડર પર પકડ્યો હતો અને તેની પાસેથી બે ચાકુ સહિત અનેક વસ્તુઓ મળી આવી હતી. ઘણા દિવસોની પૂછપરછ બાદ રિઝવાને કબૂલાત કરી હતી કે તે પયગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે નુપુર શર્માની હત્યા કરવા ભારત આવ્યો હતો. આ મામલાની માહિતી આપતાં શ્રી ગંગાનગર જિલ્લા પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું કે, 16-17 જુલાઈની રાત્રે જિલ્લાના હિન્દુમલકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક પાકિસ્તાનની સરહદે ભારતીય સરહદમાં ઘુસ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સીમા સુરક્ષા દળના જવાનોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તપાસ એજન્સીઓની સંયુક્ત પૂછપરછમાં તેણે પોતાનું નામ રિઝવાન અશરફ હોવાનું જણાવ્યું હતું અને તે પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન શહેરનો રહેવાસી છે. શર્માએ કહ્યું કે, યુવકે કહ્યું કે તેણે સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદાથી સરહદ પાર કરી હતી. તેણે કહ્યું કે તે ધાર્મિક રીતે ખૂબ જ પ્રભાવિત છે અને તે અજમેર પણ જવા માંગતો હતો. તેની પાસે એક થેલી હતી, જેમાં બે ચાકુ, ધાર્મિક પુસ્તકો, કપડાં અને ખાવાની વસ્તુઓ મળી આવી હતી.

શું છે સમગ્ર મામલો

નુપુર શર્માએ ટીવી શોમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ચર્ચા દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી શર્માના નિવેદનને લઈને દેશમાં પરંતુ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. બીજેપી નેતાના નિવેદનને ખાસ કરીને ગલ્ફ દેશોમાં વધુ ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. મામલો પકડ્યા બાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પછી પણ વિરોધ ચાલુ રહ્યો. દેશભરમાં તેની (નુપુર) ધરપકડની માંગ ઉઠી હતી. શર્મા વિરુદ્ધ હૈદરાબાદ, પુણે અને મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યા હતા. શર્માની ટિપ્પણી માટે કતાર, પાકિસ્તાન સહિત 14 દેશોએ ભારતની નિંદા કરી હતી.

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના નિવેદનોને સમર્થન આપવા બદલ એક દરજીનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. તે જ સમયે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કહ્યું કે, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉદયપુરના દરજીની હત્યા માટે પણ સર્વોચ્ચ અદાલતે શર્માને જવાબદાર ઠેરવ્યા હતા. કોર્ટે કહ્યું કે, તેમના નિવેદનના કારણે દેશમાં આ બધું થઈ રહ્યું છે.

Next Article