Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ

|

May 17, 2022 | 11:26 PM

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો.

Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે ફરી આતંકી હુમલાની (Terrorist Attack) ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી એકનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, જ્યારે આતંકવાદીઓએ દુકાન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભીડ હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી છે કે, પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બડગામમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, વિસ્ફોટકો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે

તેમના કબજામાંથી લશ્કર-એ-તૈયબાની ગુનાહિત સામગ્રી, એક હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલના બે મેગેઝીન અને AK-47 રાઈફલના 15 રાઉન્ડ, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો મળી આવ્યો છે. આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી એક આતંકવાદી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને સાત આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની ધરપકડ કરી હતી.

ગઈકાલે પણ આતંકવાદીઓ ઝડપાયા હતા

પોલીસે કહ્યું હતું કે, બાંદીપોરામાં તાજેતરના એન્કાઉન્ટરની તપાસ કરતી વખતે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આતંકીઓના ચાર સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ યાત્રાને લઈને ગૃહમંત્રીએ યોજી બેઠક

બીજી તરફ, ગૃહ પ્રધાન અમિત શાહે અમરનાથ યાત્રાને લઈને જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સુરક્ષા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે સતત ત્રણ બેઠકો યોજી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકોમાં નાગરિકોની હત્યાની તાજેતરની ઘટનાઓ અને આગામી અમરનાથ યાત્રા પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન હવે અમરનાથ યાત્રા માટે દરેક યાત્રીઓને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન કાર્ડ (RFID) આપશે.

Next Article