
રેલવે મંત્રી પિયૂષ ગોયલ દ્વારા પોતાના સોશિયલ એકાઉન્ટમાં માહિતી આપવામાં આવી હતી કે ભારતમાં હવે કોઈ રેલવે ક્રોસિંગ માનવરહિત રહ્યા નથી અને સરકારે આ બાબતે મોટી ઉપલબ્ધિ હાંસીલ કરી છે. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના ભાષણમાં આ વાત કરી છે.
आज महामहिम राष्ट्रपति जी ने अपने अभिभाषण में कहा कि देश मे मानवरहित क्रासिंग लगभग समाप्त हो गयी हैं, मुझे यह बताते हुए गर्व हो रहा है कि आज शाम देश की आखिरी मानवरहित क्रासिंग भी समाप्त कर दी गई है। सुरक्षा की दृष्टि से यह बड़ी उपलब्धि है जिसे रेलवे के मेरे साथियों ने संभव बनाया। https://t.co/OQyTC21RYQ
— Piyush Goyal (@PiyushGoyal) January 31, 2019
વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારે લોકોની માટે સુવિધાઓમાં દેશમાં એવી બિલ્ડીંગો બનાવી છે જ્યાં દિવ્યાંગો પણ આરામથી જઈ શકે છે. 650 જેટલાં રેલવે સ્ટેશનોને એ રીતે બનાવી દેવાયા છે કે કોઈ પણ દિવ્યાંગ ત્યાં અડચણ વિના જઈ શકે.
આ પણ વાંચો : સરકારે લઈ લીધો નિર્ણય, જાણો હવે ગોવામાં તમે શું નહીં કરી શકો?
1 ફેબ્રુઆરીના રોજ દેશનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવશે જેની સાથે જ રેલવે બજેટ પણ રજુ કરવામાં આવશે. જેના પહેલાં દેશના તમામ રેલવે ક્રોસિંગને માનવ રહિત બનાવવાનો મોદી સરકારનો નિર્ણય આખરે પૂર્ણ થયો છે જેનાથી સામાન્ય જનતાને ખરેખર મોટો લાભ થશે.
[yop_poll id=”953″]
Published On - 5:10 pm, Thu, 31 January 19