તિહાર જેલ તંત્ર મુજબ નિર્ભયા ગેંગ રેપ કેસના તમામ 4 ગુનેગારો અક્ષય, પવન, વિનય અને મુકેશને પરિવાર સાથે છેલ્લી મુલાકાત માટે પત્ર લખ્યો છે. મુકેશ અને પવનને લખવામાં આવ્યું છે કે તમે 1 ફેબ્રુઆરીએ જાહેર કરેલા જુના ડેથ વોરંટ પહેલા પોતાના પરિવાર સાથે છેલ્લી મુલાકાત કરી ચૂક્યા છો. ત્યારે અક્ષય અને વિનયને પૂછવામાં આવ્યું છે કે તમે પરિવાર સાથે છેલ્લી મુલાકાત ક્યારે કરવા ઈચ્છો છો તે જણાવી દો.
Tihar Jail Official: Have written to all four #NirbhayaCase convicts in connection with their last meeting with families. Mukesh and Pawan were told that they had already met their families before February 1 death warrant. Akshay& Vinay have now been asked when they want to meet
— Tv9 Gujarati (@tv9gujarati) February 22, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેલ તંત્ર તરફથી ચારે ગુનેગારોને પત્ર લખવામાં આવ્યો છે. હાલમાં તેમના પરિવારને પત્ર લખવામાં આવ્યો નથી. તેની સાથે તિહાર જેલ તંત્રએ ઉત્તરપ્રદેશ જેલને પણ પત્ર લખી દીધો છે કે 3 માર્ચ ફાંસીની તારીખના 2 દિવસ પહેલા જલ્લાદને તિહાર જેલમાં મોકલવામાં આવે.
વિનય જેને હાલમાં જ પોતાને ઈજા પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા, તેની પર વધારે નજર રાખવામાં આવી રહી છે. જેથી તે પોતાને બીજી વખત નુકસાન પહોંચાડવાના પ્રયત્ન ના કરે. તેના સેલની અંદર અને બહાર 2-2 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ ગુનેગારો જમવાનું જમી લે છે પણ પહેલા કરતાં તેમનો ખોરાક ઓછો થયો છે. વિનયના વર્તનમાં સૌથી વધારે ફેરફાર આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભાવનગર: છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ફરી શરૂ થશે
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]