નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA) એ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. ટેરર ફંડિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં અનેક સ્થળોએ NIA ના દરોડા પાડ્યા છે. બારામુલ્લામાં 11 અને કિશ્તવાડમાં 5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત જમાત એ ઈસ્લામિયા સાથે જોડાયેલા લોકો અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.
National Investigating Agency today carried out searches at 16 locations in Jammu and Kashmir– 11 in Baramulla and five in Kishtwar–in Jamaat-e-Islami terror funding case being probed by the agency since 2021: NIA pic.twitter.com/9kaAFSiXb3
— Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2023
NIA દ્વારા 2 મેના રોજ પણ આ જ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્રના કેસની તપાસ માટે 2 મેના રોજ જમ્મુ અને કાશ્મીરમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમથી 11 સ્થાનો કાશ્મીર ખીણમાં હતા. પુલવામા જિલ્લામાં આઠ, અને કુલગામ, અનંતનાગ અને બડગામ જિલ્લામાં એક-એક – જમ્મુના પુંછ જિલ્લામાં એક આમ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
“ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ અને કાશ્મીર (UL J&K), મુજાહિદ્દીન ગઝવત-ઉલ-હિંદ (MGH), જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ (JKFF), કાશ્મીર વાઘ, પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAAF) જેવા વિવિધ ઠેકાણાં ઉપર NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી .
Published On - 11:52 am, Thu, 4 May 23