બેગ બોર્ડના બોજમાં દબાયેલા બાળકો થયા મુક્ત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલના સંમેલનને નરેન્દ્ર મોદીનું સંબોધન, નવી શિક્ષણ નીતિ એ દેશની નીતિ, સરકારની નહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ સરકારની નહી દેશની શિક્ષણ નીતિ છે. અત્યાર સુધીમાં બાળકો બેગ અને બોર્ડના બોજથી દબાયેલા હતા. નવી શિક્ષણ નીતિમાં તેમને આ બોજમાંથી મુક્તિ મળશે. નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સરકાર કામ કરી રહી હતી. અનેક લોકોએ […]

બેગ બોર્ડના બોજમાં દબાયેલા બાળકો થયા મુક્ત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલના સંમેલનને નરેન્દ્ર મોદીનું સંબોધન, નવી શિક્ષણ નીતિ એ દેશની નીતિ, સરકારની નહી
| Updated on: Sep 19, 2020 | 12:35 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ સરકારની નહી દેશની શિક્ષણ નીતિ છે. અત્યાર સુધીમાં બાળકો બેગ અને બોર્ડના બોજથી દબાયેલા હતા. નવી શિક્ષણ નીતિમાં તેમને આ બોજમાંથી મુક્તિ મળશે.

નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સરકાર કામ કરી રહી હતી. અનેક લોકોએ નવી શિક્ષણ નીતિ માટે રજૂઆત કરી છે. વિચારો પ્રગટ કર્યા છે. ભલામણ કરી હતી. જેના આધારે આ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જેના કારણે જ બધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોતાની નીતિ લાગી રહી છે.

આ શિક્ષણ નીતી સરકારની નીતિ નથી દેશની નીતિ છે તેમ જણાવીને મોદી કહ્યું કે, જે રીતે વિદેશ નીતિ હોય છે. સુરક્ષા નીતિ દેશની નીતિ છે તેવી જ રીતે આ નવી શિક્ષણ નીતિ પણ દેશની નીતિ છે.

આ પણ વાંચોઃવલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 6:26 am, Mon, 7 September 20