મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી

|

Jul 02, 2019 | 3:20 AM

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન […]

મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી

Follow us on

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એનડીઆરએફ અને મુંબઈ પોલીસની રાહત અને બચાવ ટુકડીઓ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે. કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની દિવાલ પડતા 3 લોકોના મોત નિપજ્યાં છે. પૂણેના સિંહગઢમાં એક કોલેજની દિવાલ પડતા 6 લોકોના મોત થયા. અને 5 ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ બાદ મુંબઈ, નવી મુંબઈ અને થાણેની તમામ સ્કૂલમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના સ્વજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 2:27 am, Tue, 2 July 19

Next Article