નાના બાળકો માટે માસ્ક જરૂરી નથી, રેમડેસીવીર ઈન્જેકશન- સીટી સ્કેન અંગે પણ DGHSની માર્ગદર્શિકા

ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે ( DGHS ) જાહેર કરેલ નવી માર્ગદર્શિકામાં એવુ જણાવાયુ છે કે, પાંચ વર્ષથી નાના બાળકોને માસ્ક પહેરવાની જરૂર નથી. હકીકતમાં, કોવિડ -19 રોગચાળા સામે રક્ષણ આપવા માટે જારી કરાયેલા પ્રોટોકોલમાં, નાના બાળકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

નાના બાળકો માટે માસ્ક જરૂરી નથી, રેમડેસીવીર ઈન્જેકશન- સીટી સ્કેન અંગે પણ DGHSની માર્ગદર્શિકા
પ્રતિકાત્મક તસવીર
| Updated on: Jun 10, 2021 | 12:28 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, ( DGHS)એ ગુરુવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ( Guidelines for child ) બાળકોને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલી નવી માર્દર્શિકામાં માસ્ક પહેરવાની વય નક્કી કરવામાં આવી છે. બાળકના માતાપિતા અને ડોકટરોની દેખરેખ હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક ફરજિયાત નથી, જ્યારે 6 થી 11 વર્ષના બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

હકીકતમાં, કોવિડ -19 રોગચાળાને રોકવા માટે જાહેર કરાયેલા પ્રોટોકોલ અનુસાર, માસ્ક પહેરીને, શારીરિક અંતર રાખવું, વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.

DGHSએ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં કોરોના ચેપની સારવાર અને નિવારણ માટે પણ માર્ગદર્શિકા આપી છે. આ મુજબ, કોરોના સંક્રમિત બાળકોની સારવારમાં રીમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવાની ભલામણ કરાઈ છે. તો સાથોસાથ કોરોનાનું સંક્રમણ શરીરમાં કેટલુ ફેલાયેલુ છે તેની તપાસ માટે સીટી સ્કેનનો પણ તર્કસંગત ઉપયોગ કરવા જણાવાયુ છે.

આ સિવાય બાળકોમાં કોરોના સંક્રમણના ઉપચાર માટે પણ સ્ટીરોઇડ્સ હાનિકારક હોવાનું જણાવાયું છે. DGHS ભલામણ  કરે છે કે યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને પૂરતી માત્રામાં સ્ટીરોઇડ્સની પૂરતી માત્રાનો ઉપયોગ કરવો જોઈએ.

રેમડેસીવીર ઇંજેક્શનના ઉપયોગ માટે, ડીજીએચએસએ સ્પષ્ટ કહ્યું છે કે 3 વર્ષથી 18 વર્ષની વય જૂથમાં તેની અસરકારકતા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ થયા નથી. તેથી, બાળકોમાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ ન કરવો જોઇએ તેવી સલાહ છે.

વધુમાં, સીટી સ્કેનના તર્કસંગત ઉપયોગની સલાહ આપતા, ડીજીએચએસએ જણાવ્યું છે કે સીટી સ્કેન સારવારમાં થોડી મદદ જરૂર કરે છે. પરંતુ બાળકની ઉમરને ધ્યાને લઈને કોરોના સંક્રમણની સ્થિતિમાં, ડોકટરોએ ફક્ત પસંદગીના કેસોમાં જ એચઆરસીટી કરાવવાનું નક્કી કરવું જોઈએ.

અત્યારે એ કહેવુ જરૂરી છે કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેર, બાળકો માટે વધુ ઘાતક નિવડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.