Maharashtra: અહમદનગરમાં કોવિડ કેર સેન્ટરમાં બે યુગલોએ કર્યા લગ્ન, લગ્ન માટે બચાવેલી રોકડ રકમનું દાન કર્યું

|

Jun 08, 2021 | 5:17 PM

Maharashtra: કોરોના વાયરસને કારણે છેલ્લા એક વર્ષથી વેકેશનનો માહોલ છે. તથા, સામાજિક કાર્યક્રમો અને લગ્નસમારંભો રદ કરવાની ફરજ પડી રહી છે. આવા માહોલ વચ્ચે પણ કેટલાક યુગલો લગ્ન કરી રહ્યાં છે.

Maharashtra: અહમદનગરમાં કોવિડ કેર સેન્ટરમાં બે યુગલોએ કર્યા લગ્ન, લગ્ન માટે બચાવેલી રોકડ રકમનું દાન કર્યું
કોવિડ કેર સેન્ટરમાં કર્યા લગ્ન

Follow us on

Maharashtra: કોરોના વાયરસને કારણે છેલ્લા એક વર્ષથી વેકેશનનો માહોલ છે. તથા, સામાજિક કાર્યક્રમો અને લગ્નસમારંભો રદ કરવાની ફરજ પડી રહી છે. આવા માહોલ વચ્ચે પણ કેટલાક યુગલો લગ્ન કરી રહ્યાં છે. લોકડાઉન, મહેમાનોની મર્યાદા સહિતના અવરોધોનો સામનો કરવા છતાં, યુગલો વિશેષ સ્થળોએ લગ્ન કરી રહ્યા છે. અને, કેટલીક વાર આ વિશેષ દિવસને માણવા માટે ધારાધોરણોને બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

હવે વાત કરી આવા જ એક લગ્નપ્રસંગની. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પારનર શહેરમાં એક કોવિડ કેર સેન્ટરમાં એક અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં, અહમદનગર જિલ્લામાં લગ્ન સમારોહને લગતા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા હતા. અને આ પછી, તાજેતરમાં પારનરના બે દંપતીઓએ કોવિડ સેન્ટરમાં લગ્ન કર્યા. તેમના લગ્ન માટે આ અનોખા સ્થળને પસંદ કરવા ઉપરાંત, આ દંપતીએ તેમના લગ્ન માટે કોવિડ -19 કેન્દ્રને એક નોંધપાત્ર રકમ પણ દાનમાં આપી હતી.

આ દંપતીએ ધારાસભ્ય નિલેશ લંકાના શરદચંદ્રજી પવાર આરોગ્ય મંદિર કોવિડ સેન્ટર પારનેર શહેરમાં લગ્ન કર્યાં હતાં. અનિકેત વ્યવહરે અને આરતી શિંદે તેમજ રાજશ્રી કાલે અને જનાર્દન કદમે કોવિડ સેન્ટરમાં લગ્ન કરીને તેમના જીવનના નવા અધ્યાયને આવકારવાનું નક્કી કર્યું હતું. અને, બંને યુગલોએ પોતાના જ સ્વજનો અને ગ્રામજનોની હાજરીમાં કોવિડ સેન્ટરમાં પ્રવેશ મેળવી લગ્નનું આયોજન કર્યું હતું. આ બંને યુગલોએ કોવિડ સેન્ટરમાં ફેસ માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કિટ્સ, આવશ્યક દવાઓ દાન આપવાનું પણ નક્કી કર્યું. તેમણે દર્દીઓની સારવાર માટે રૂપિયા 37 હજારની આર્થિક સહાય પણ આપી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

“રોગચાળાને કારણે વિશ્વ એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. લગ્ન જેવા સામાજિક મેળાવડા પર ઘણાં પ્રતિબંધો છે. અમારા લોકો, ગ્રામજનો હાલમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે અને અમે તેમને ખુશ કરવા માટે કંઇક કરવાનું નક્કી કર્યું છે. તેથી જ અમે અહીં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ”

સમારોહમાં ખાતરી કરવામાં આવી હતી કે કોરોના વાયરસ સંબંધિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. બંને તરફથી ખૂબ જ ઓછા સંબંધીઓ હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય નિલેશ લંકે પણ હાજર હતા, જેમણે આ અનોખા પગલા માટે યુગલોની પ્રશંસા કરી હતી.

Next Article